ભારતમાં પરંપરાગત ખેતી થાય છે. ત્યારે એવી ખેતીની વાત કરીએ જેનુ ઉત્પાદન કરવાથી ખેડૂતોને નફો જ નફો થાય છે
મહોગનીની ખેતીથી બનશો કરોડપતિ
મહોગનીના પાન પણ ઔષધિય
મહોગની વૃક્ષ ખૂબ જ કિંમતી માનવામાં આવે છે.
ભારતમાં ખેડૂતો મોટાભાગે પરંપરાગત ખેતી પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેઓને ખેતીમાં વારંવાર નુકસાન થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક માવઠુ. કુદરતી આપદાને કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. હાલની ખેડૂતોની સ્થિતિ દયનીય છે. તેમાં નફા કરતા નુકસાનનો ભય વધી ગયો છે. ત્યારે તમને જણાવીએ કે એવી એક ખેતી છે જેનાથી તમે કરોડપતિ બની શકો છે. ત્યારે જાણીએ તેના વિશે વિગતવાર ..
મહોગનીની ખેતી
મહોગનીની ખેતી ખેડૂતો માટે નફાકારક સોદો છે. જો એક એકર જમીનમાં મહોગનીના 120 વૃક્ષો વાવવામાં આવે તો માત્ર 12 વર્ષમાં તમે કરોડપતિ બનવાનું સપનું પૂરું કરી શકો છો. મહોગનીને સદાબહાર વૃક્ષ માનવામાં આવે છે. તે 200 ફૂટની ઉંચાઈ સુધી વધી શકે છે. તેનું લાકડું લાલ અને ભૂરા રંગનું હોય છે અને તેને પાણીથી નુકસાન થતું નથી.
મહોગની વૃક્ષો કેવી રીતે ઉગાડવું?
મહોગનીના છોડ એવી જગ્યાએ ઉગાડવામાં આવે છે જ્યાં જોરદાર પવનનું જોખમ ઓછું હોય. ભારતમાં પર્વતીય વિસ્તારો સિવાય ગમે ત્યાં ઉગાડી શકાય છે. કુદરતી રીતે ફળદ્રુપ જમીન, સારી ડ્રેનેજ અને સામાન્ય pH ધરાવતી જમીન આ છોડ માટે યોગ્ય છે.
મહોગની વૃક્ષોનો ઉપયોગ
મહોગની વૃક્ષ ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. તેને તૈયાર થવામાં 12 વર્ષ લાગે છે. તે અત્યંત મજબૂત અને ટકાઉ છે. પાણીની પણ તેના પર કોઈ અસર થતી નથી. તેથી તેનો ઉપયોગ જહાજો, ઘરેણાં, ફર્નિચર, પ્લાયવુડ, સજાવટ અને શિલ્પો બનાવવામાં થાય છે. આ સાથે આ ઝાડના પાંદડામાં કેન્સર, બ્લડપ્રેશર, અસ્થમા, શરદી અને ડાયાબિટીસ સહિત અનેક રોગો સામે ઉપચારાત્મક ગુણો છે.
જંતુનાશક દવા તરીકે ઉપયોગી
મહોગનીના ઝાડના પાંદડામાં એક ખાસ પ્રકારનો ગુણ જોવા મળે છે, જેના કારણે તેના ઝાડની નજીક મચ્છર અને જીવજંતુઓ આવતા નથી. આ જ કારણ છે કે તેના પાંદડા અને બીજના તેલનો ઉપયોગ મચ્છર ભગાડનાર અને જંતુનાશક બનાવવા માટે થાય છે. તેના તેલનો ઉપયોગ સાબુ, રંગ, વાર્નિશ અને અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે.
મહોગનીની ખેતીથી કરોડોની કમાણી
મહોગનીના વૃક્ષો 12 વર્ષમાં લાકડાની લણણી માટે તૈયાર થાય છે અને પાંચ વર્ષમાં એકવાર બીજ આપે છે.તેના બીજ ખૂબ જ મોંઘા હોય છે અને તે 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે જ્યારે તેનું લાકડું 2000 થી 2200 રૂપિયાનું છે. જે પ્રતિ ઘન ફૂટ જથ્થાબંધમાં સરળતાથી ઉપલબ્ધ છે. તે એક ઔષધિય છોડ પણ છે, તેથી તેના બીજ અને ફૂલોનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. આવી સ્થિતિમાં તેની ખેતીથી કરોડોનો નફો મેળવી શકાય છે.