પ્રયાગ કુંભ મેળા 2019ની શરૂઆત 14 જાન્યુઆરીથી થઇ રહી છે જેમાં કરોડો લોકો શામેલ થશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આ વખતે કુંભ મેળાને અનેક રીતે ખાસ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષ દ્રષ્ટિએ પણ પંડિતો આ કુંભને લઇને દુર્લભ સંયોગ અંગે જણાવી રહ્યા છે. તેમના મતે 71 વર્ષ બાદ કુંભમેળો અને મહોદય યોગ એકબીજા સાથે આવ્યા છે તો ચાલો આવો જાણી એ શું છે આ યોગનું મહત્વ...
4 ફેબ્રુઆરી સોમવારના દિવસે પોષ મહિનાની અમાસ છે. જેને મૌની અમાવસ્યા પણ કહેવાય છે. આ દિવણે શ્રવણ નક્ષત્ર વ્યતિપાત યોગ સર્વાર્થસિદ્ધિ યોગ અને સોમવાર હોવાના કારણે મહોદય યોગ બને છે. આ માટે કુંભ મહિના દરમિયાન બીજુ શાહી સ્નાન સૌથી ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર કુંભ આરંભ થવાની મૂળ તિથિ પણ આજ છે.
ધાર્મિક વિષયોના અનુસાર આ યોગમાં સંગમ તટે સ્નાન પૂજા-પાઠ અને દાન વગેરે કરવાથી અન્ય દિવસોમાં કરવામાં આવેલ કાર્યો કરતા વધારે પુણ્ય મળે છે. જ્યોતિષ ગણના અનુસાર આ પહેલા મહાદેવ યોગ અને કુંભમેળાનો સંયોગ 9 ફેબ્રુઆરી 1948ના દિવસે બન્યો હતો.
વૈદિક કેલેન્ડર અનુસાર પોષ મહિનામાં જે વર્ષે અમાસની તિથિમાં ગુરુ વૃશ્ચિક રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં અર્ધકુંભનું આયોજન થાય છે.
4 ફેબ્રુઆરીના રોજ મૌની અમાસના દિવસે સમગ્ર દિવસ દરમિયાન દાન-પણ્યુ અને પૂજાનું વિશેષ ફળ મળે છે. પરંતુ સૂર્યોદય પછી તરત જ સવારે 7.58 વાગ્યા સુધીમાં કરવામાં આવેલ દાનનું વિશેષ મહત્વ હોય છે. ધ્યાન રાખવાની વાત છે કે દાન હંમેશા સ્નાનાદી અને દૈનિક પૂજાપાઠની નિવૃત્ત થયા બાદ જ કરવામાં આવે છે. આ વિશષ દિવસે સૂર્યના અર્ઘ્ય આપવાનું ભૂલશો નહીં.
કુંભ ફક્ત કર્મકાંડનો ઉત્સવ નથી કે નથી ફક્ત સાધુમહાત્માનો ઉત્સવ આ તો જનચેતનાનો પર્વ છે. જ્યાં તમે દેશના અલગ અલગ વિભાગની સંસ્કૃતિ અંગે જાણી શકો છો. કુંભની આ ખૂબીના કારણે જ દેશભરથી શ્રદ્ધાળુઓ જ નહીં વિદેશથી પ્રવાસીઓ ઉત્કંઠા સાથે ભારત આવે છે.