મહીસાગર સહિત 9 જિલ્લા માટે ખુશીના સમાચાર છે. કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાવામાં આવ્યું છે. સુજલામ સુફલામ કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 600 ક્યુસેકથી વધારીને 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. મહીસાગર સહિત 9 જિલ્લાના તળાવોમાં પાણી ભરાશે. કડાણા ડેમમાં સપાટી રુલ લેવલે પહોંચી જતા સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યુ છે.
મહીસાગર ઉપરાંત અન્ય આઠ જીલ્લા માટે જીવાદોરી સમાન એવા મહીસાગર જીલ્લામાં આવેલ કડાણા ડેમમાં જળ સપાટી રુલ લેવલને પાર કરી થઇ ગયી છે. જેને લઇને ગઇકાલથી અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ ડેમમાંથી ગમે ત્યારે પાણી છોડવાની સંભાવનાને લઈને નીચેના વિસ્તારમાં આવેલ અન્ય જિલ્લાઓમાં પણ એલર્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ રાહતના સમાચાર એ છે કે રુલ લેવલ પાર થઇ ગયા છતાય પાણીની આવકમાં એકદમ મોટો ઘટાડો થતા પાણી છોડવામાં નથી આવી રહ્યું.
મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં છેલ્લા અઠવાડિયામાં પુષ્કળ પાણીની આવક થતાં કડાણા ડેમમાં પાણીની સપાટી ૨૦ ફૂટ જેટલી વધીને હાલ ૪૧૪ ફૂટે પહોંચી ગઈ છે. સપાટી પહેલી ઓગસ્ટના રૂલ લેવલને પાર થઇ ગયી હોવાથી તંત્ર દ્વારા કડાણા ડેમને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર પણ અલર્ટ છે. તંત્ર દ્વારા ગઇકાલે એલર્ટ પર મુક્યા પછી ગમે ત્યારે પાણી છોડવાની સંભાવનાને લઈને ડેમ પર ચકાસણી કરી હતી બધી મશીનરી બરાબર કામ કરે છે કે નહિ તેની ચકાસણી કરી હતી. મહીસાગર જિલ્લા ઉપરાંત અન્ય આઠ જિલ્લાની જીવાદોરી સમાન આ ડેમ માં ૮૦ ટકા થી વધુ પાણીથી ભરાઈ જતાં તમામ જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય. જે આવનાર સમય માટે જે આ કડાણા ડેમના પાણીનો લાભ લેનાર મહેસાણા, ગાંધીનગર, ખેડા જેવા આઠ જીલ્લાવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય,
એક સમય માટે કડાણા ડેમમાં પાણીની આવક એક લાખ સીતેર હજારથી પણ વધી ગઈ હતી જેથી ડેમમાં ચાર દિવસમાં ધરખમ આવક થતા સપાટી હાલ 414.4 ફૂટે પહોંચી ગયી હતી જે રુલ લેવલથી વધુ છે અને ડેમમાં પાણી છોડવાની પૂરેપૂરી શક્યતા હતી. પરંતુ ઉપરવાસમાં હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ પાણીની આવકમાં મોટો ઘટાડો નોંધાતા હાલ પાણી છોડવામાં આવી રહ્યું નથી. હાલ પાણીની આવક માત્ર 25571 ક્યુસેક નોંધાઇ છે. જેથી હાલ આવા કોઈ ચિંતાજનક કહી શકાય એવા સમાચાર નથી. જો ઉપરવાસમાંથી આવક વધે તો જ પાણી છોડાશે.
જો રાજસ્થાનમાંથી પાણી છોડવામાં આવે તો...
ઉપરવાસમાં મહી નદી પર રાજસ્થાનમાં આવેલ બજાજ સાગર ડેમ પણ સંપૂર્ણ ભરાઇ ગયેલ હોવાથી તેમાંથી પાણી છોડવાની સંભાવના છે. જો ત્યાંથી પાણી છોડવામાં આવે તો આ કડાણા ડેમમાં પણ આવક મોટા પ્રમાણમાં વધી શકે છે. તેવામાં કડાણા ડેમમાંથી પણ પાણી છોડવાની ફરજ પડી શકે છે. જેથી તંત્ર દ્વારા ડેમને અલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે.
મહીસાગર નદીમાં જો પાણી છોડવામાં આવે તો નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં અસર કરી શકે છે. પહેલેથી પુરની સ્થિતિમાં આ જિલ્લાઓ હોવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. જ્યારે પહેલી સપ્ટેમ્બરનું રૂલ લેવલ ૪૧૬ ફૂટથી ઉપર હોવાથી તંત્ર દ્વારા હાલ પાણી છોડવાના કોઈ સંકેત આપવામાં આવ્યા નથી.