જ્યારે વિદ્યાર્થીઓ ઘરથી દૂર રહીને ભણતા હોય છે ત્યારે તેમના માતા-પિતા તો તેમનાથી દૂર હોય છે પરંતુ તેમની સૌથી નજીક હોય છે તેમના શિક્ષકો અને હોસ્ટેલના વોર્ડન એટલે કે ગૃહમાતા. આ ગૃહમાતા સાથેનો વિદ્યાર્થીનીઓનો નાતો સાવ અલગ જ હોય છે આવું જ કંઈક મહીસાગરના કડાણામાં એકલવ્ય કન્યા નિવાસી શાળામાં બન્યુ છે. ગૃહમાતાની મમતા કામ કરી ગઈ હતી અને વિદ્યાર્થીનીઓના વલોપાતે ગૃહમાતાનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવ્યું હતુ.
300 વિદ્યાર્થિનીઓ દ્વારા ગૃહમાતાનું સ્પેન્સનને લઈને વિરોધ
લેખિતમાં ગૃહમાતાને ફરીથી હાજર કરવાની આચાર્યની ખાતરી
ગૃહમાતાને સસ્પેન્ડ કરવામાં આવતાં વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો હતો એટલું જ નહીં પરંતુ આખી રાત વિદ્યાર્થીનીઓ ભૂખ હડતાળ પર બેઠી હતી જેને પરિણામે આચાર્યએ લેકિતમાં ગૃહમાતાને ફરીથી હાજર કરવાની ખાતરી આપ્યા બાદ જ આ હડતાળ સમેટાઈ હતી.
મહીસાગરની એકલવ્ય કન્યા નિવાસી શાળામાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોબાળો કરતા ગૃહમાતાનું સસ્પેન્શન રોકાયું છે. ત્યારે હવે આચાર્ય દ્વારા ગૃહમાતાને ફરીથી હાજર કરવાની લેખિતમાં ખાતરી આપવામાં આવી છે. સ્કૂલ દ્વારા ગૃહમાતાને સસ્પેન્ડ કરવામાં આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો હતો. 300 જેટલી વિદ્યાર્થિનીઓ શુક્રવારે રાત્રે ભૂખ હડતાળ પર ઉતરી હતી. આ ઘટનાની જાણ થતા વાલીઓ પણ શાળાએ પહોંચ્યા હતા. વિદ્યાર્થિનીઓની હઠ બાદ આચાર્ય દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવી