તેલંગાણાની મહિન્દ્રા યુનિવર્સિટીમાં Covid-19ના 30 કેસ બાદ તેને બંધ કરી દેવામાં આવી છે. જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે તેમાં 25 વિદ્યાર્થીઓ છે, જ્યારે પાંચ ટીચિંગ સ્ટાફના સભ્યો છે.
મહિન્દ્રા યુનિવર્સિટીમાં 30 વ્યક્તિઓને કોરોના
1700 વિદ્યાર્થીઓને કરાયા આઇસોલેટ
હાલ પૂરતી યુનિવર્સિટી બંધ કરી દેવાઈ
ધારવાડની SDM કોલેજમાં કુલ 281 લોકો પોઝિટિવ
મહિન્દ્રા યુનિવર્સિટીમાં આ 30 દર્દીઓને અલગ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે દર્દીઓમાં લક્ષણો ગંભીર હોવાનું નોંધાયું નથી. હાલમાં, મહિન્દ્રા યુનિવર્સિટી બંધ કરી દેવામાં આવી છે અને તમામ 1,700 વિદ્યાર્થીઓ અને અન્ય સભ્યોને ઘરે આઈસોલેટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેકને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા હતા. યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું છે કે કેમ્પસ અને હોસ્ટેલને સંપૂર્ણપણે સેનિટાઈઝ કર્યા પછી જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે.
હૈદરાબાદ નજીક બહાદુરપલ્લીમાં સ્થિત, આ ખાનગી યુનિવર્સિટી કેમ્પસ ટેક મહિન્દ્રાની પેટાકંપની મહિન્દ્રા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્પોન્સર્ડ છે.
કર્ણાટકની SDM કોલેજમાં પણ કોરોના બ્લાસ્ટ
Corona Third Waveના ભણકારાની વચ્ચે બીજી તરફ કર્ણાટક(karnataka)ના ધારવાડની SDM કોલેજ ઓફ મેડિકલ સાયન્સમાં (SDM College of Medical Sciences) શુક્રવારે વધુ 99 લોકો કોરોના પોઝિટિવ (Corona Positive) મળી આવ્યા છે, જે બાદ સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોના પોઝિટિવ જોવા મળેલા મોટાભાગના લોકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શુક્રવારે SDM College માંથી 116 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, ત્યારબાદ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 182 થઈ ગઈ હતી.
કોલેજમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 281
જોકે, જિલ્લા કલેક્ટર નીતિશ પાટીલે કહ્યું કે હવે આ સંખ્યા વધીને 281 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે કારણ કે 1,822 લોકોનો કોવિડ રિપોર્ટ આવવાનો બાકી છે. તેમણે વધુમાં કહ્યું કે 281 દર્દીઓમાંથી માત્ર છ દર્દીઓમાં જ સંક્રમણના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ સિવાય સંક્રમિત તમામ દર્દીઓમાં કોવિડના કોઈ લક્ષણો દેખાતા નથી. પાટીલે જણાવ્યું કે તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.