કેરળના ત્રિશુરમાં ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં દાનમાં આપવામાં આવેલી મહિન્દ્રા થાર એસયુવી સોમવારે ફરીથી હરાજીમાં 43 લાખ રૂપિયામાં વેચાઇ હતી.
મંદિરમાં મળેલ થારની હરાજી થઇ
દુબઈના બિઝનેસમેને લગાવી બોલી
14 લોકોએ લીધો હરાજીમાં ભાગ
14 લોકોએ હરાજીમાં ભાગ લીધો
દુબઈના એક બિઝનેસમેને મહિન્દ્રા થાર જીપની હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી હતી. ફરી કરવામાં આવેલ હરાજીમાં આ એસયુવી માટે 14 લોકોએ ભાગ લીધો હતો અને અનેક રાઉન્ડ બાદ આખરે દુબઈના બિઝનેસમેન વિગ્નેશ વિજયકુમારે તેને જીતી લીધી હતી. તેમના પિતા વિજયકુમાર તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.
મહિન્દ્રા ગ્રુપે મંદિરને દાનમાં આપી હતી થાર
જોકે હરાજીમાં મુકાયેલા થાર માટે નવા માલિકે 12 ટકા જીએસટી ચૂકવવો પડશે. નવેમ્બર 2021 માં મહિન્દ્રા જૂથે આ પ્રખ્યાત મંદિરને થાર એસયુવી ભેટમાં આપી હતી અને ડિસેમ્બરમાં, તેને 15 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર હરાજી માટે મૂકવામાં આવી હતી અને માત્ર એક ખરીદનાર આવ્યો હતો અને તેણે બિડની કિંમતમાં 10,000 રૂપિયાનો વધારો કર્યો હતો. મેદાનમાં અન્ય કોઈ ખરીદદાર ન હોવાથી તેણે એસયુવીની હરાજી જીતી લીધી હતી. પરંતુ આ હરાજીની પ્રક્રિયાને લઇને ઉઠી રહેલા સવાલો અને વિરોધને જોતા મંદિર બોર્ડે હરાજી રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેના એકમાત્ર ખરીદદારે કાનૂની આશ્રય લેવાની ધમકી આપી હતી.
કોઈ પણ કિંમતે થાર હાંસિલ કરવાનું કહ્યું
સોમવારે હરાજીમાં વિજેતા બનેલા વિજયકુમારે મીડિયાને જણાવ્યું હતું કે તેમનો પુત્ર જે દુબઈમાં છે તે ઈચ્છે છે કે તેને ખરીદવી જોઈએ કારણ કે તે ભગવાન ગુરુવાયુરપ્પનનું વાહન છે. વિજયકુમારે કહ્યું, "મારા પુત્રએ મને કોઈ પણ કિંમતે થાર હાંસિલ કરવાનું કહ્યું હતું. હરાજીમાં લેવાયેલી એસયુવી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડની નવી ફોર વ્હીલ ડ્રાઈવ થાર છે. તે ઓટોમોબાઇલ માર્કેટમાં સૌથી વધુ વેચાતી એસયુવી છે. આ કાર લિમિટેડ એડિશન મોડલ છે. તેમાં 2200 સીસીનું ડીઝલ એન્જિન છે અને તે લાલ રંગની છે. આ કારની કિંમત 13 લાખથી 18 લાખ રૂપિયા વચ્ચે છે.