Mahindraએ નાસિક પ્લાન્ટમાં બનેલી કારમાં એન્જિનમાં ખરાબીને કારણે ગ્રાહકો પાસેથી 600 કાર પરત મંગાવી છે. કંપનીને શંકા છે કે તેનાથી એન્જિનમાં ખરાબી આવી શકે છે માટે તેને રિકોલ કરાઈ રહી છે.
Mahindraએ ગ્રાહકો પાસેથી મંગાવી 600 કાર પરત
ડીઝલ એન્જિનની કારમાં મળી રહી છે મોટી ખરાબી
ફ્રીમાં કારના એન્જિનને રિપેર કરશે કંપની
જો તમે ગયા મહિને કે આ મહિનામાં Mahindra & Mahindra (M&M) ની કોઈ કાર ખરીદી છે તો આ ન્યૂઝ તમારા માટે કામના છે. કેમકે મહિન્દ્રાએ લગભગ 600 કારને રિકોલ કરી છે. એટલે કે તેને ગ્રાહકો પાસેથી પાછી મંગાવી છે. કંપનીને આ કારના એન્જિનમાં ખરાબી હોવાની આશંકા છે.
Mahindraએ રિકોલ કરી 600 ગાડીઓ
મહિન્દ્રાનું કહેવું છે કે આ ડીઝલ ગાડીઓના એન્જિનમાં ખરાબી જોવા મળી છે. જેના કારણે કંપનીએ તેને રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે. આ ગાડીઓની સંખ્યા 600ની આસપાસની છે. આ ગાડીને નાસિક પ્લાન્ટમાં 21 જૂનથી 2 જુલાઈ 2021 સુધીમાં મોકલ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલા મહિન્દ્રાના મોસ્ટ પોપ્યુલર Tharના ડીઝલ વેરિઅન્ટમાં ખરાબી મળી છે.
ડીઝલ ગાડીના એન્જિનમાં ખરાબી
રિકોલ કરાયેલી 600 ગાડીના ખરાબ ડીઝલ એન્જિને કંપની તપાસ માટે મોકલશે અને તેને બદલશે પણ. મહિન્દ્રાની તરફથી કહેવાયું છે કે કોઈ ખાસ તારીખ પર કારખાનામાં મળેલા એક નક્કી બેચમાં ભરાયેલા દૂષિત ઈંધણના કારણે પુર્જો કે સમય પહેલા તેના ખરાબ થવાનો સંકેત મળી રહ્યો છે. જો કે મહિન્દ્રાએ એ કહ્યું નથી કે આ ખરાબ કંપનીના કયા મોડલમાં આવ્યું છે. એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં મહિન્દ્રાએ કહ્યું કે આ પ્રક્રિયા 21 જૂન અને 2 જુલાઈની વચ્ચે બનેલી લગભગ 600 ગાડીના બેચ માટે સીમિત છે.
ગ્રાહકો પાસેથી નહીં લેવાય કોઈ રૂપિયા
મહિન્દ્રાનું કહેવું છે કે ગાડીના એન્જિનમાં કોઈ પણ પ્રકારની તપાસ અને રીપેરિંગને માટે ગ્રાહકો પાસેથી કોઈ રૂપિયા લેવાશે નહીં. તે ફ્રીમાં કરી આપવામાં આવશે. કંપની ગ્રાહકોને વ્યક્તિગત રીતે સંપર્ક કરી રહી છે અને તેમને આ માટેની જાણકારી આપી રહી છે. તમને જણાવી દઈએ કે M&M દેશની પાંચમી સૌથી મોટી ઓટો મેન્યૂફેક્ચરિંગ કંપની છે. કંપની હાલમાં નાસિક પ્લાન્ટમાં થાર, સ્કોર્પિયો, મરાજો અને XUV 300 જેવા યૂટિલિટી વ્હીકલ્સ બનાવે છે.
કંપનીએ ગયા અઠવાડિયે પોતાની નવી SUV બોલેરો નિયો લોન્ચ કરી છે જે TUV300 SUV નું અપડેટેડ વર્ઝન છે. આ સિવાય મહિન્દ્રા જલ્દી ફ્લેગશીપ SUV XUV 500ના અપગ્રેડેડ વર્ઝન XUV 700 ને એક નવા અવતારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.