મહિન્દ્રાના વાહનો પર 1 જુલાઇથી નવી કિંમતો લાગૂ થશે. કંપનીના આ નિર્ણય બાદ મહિન્દ્રા સ્કૉર્પિયો, બેલેરો, એક્સયૂવી 500 જેવી ગાડીઓ મોંઘી થઇ જશે.
દિગ્ગજ ઑટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના પેસેન્જર વીઇકલ્સની કિંમતમાં 36000 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મહિન્દ્રાના વાહનો પર 1 જુલાઇથી નવી કિંમત લાગૂ થશે. કંપનીએ આ નિર્ણય બાદ મહિન્દ્રા સ્કૉર્પિયો, બોલેરો, એક્સયૂવી 500 જેવી ગાડીઓ મોંઘી થઇ જશે.
મહિન્દ્રાએ શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું, 'ભારતમાં તમામ યાત્રી વાહનોમાં 145 સુરક્ષા માનદંડ લાગૂ થવાથી આ વૃદ્ધિ કરવામાં આવી રહી છે.' કંપનીએ કહ્યું છે કે સ્કૉર્પિયો, બોલેરો, ટીયૂવી 300 અને કેયૂવી 100 નેક્સ્ટની કિંમતોમાં થોડો વધારે અને એક્સયૂવી 500 તથા મારાજોના ભાવમાં મામૂલી વધારો કરવામાં આવશે. મહિન્દ્રાએ કહ્યું કે એઆિએસ 145 સુરક્ષા નિયમ વાહનમાં કેટલાક સુરક્ષા ફીચર્સ લગાવવા ફરજિયાત બનાવે છે.
એમાં ચાલક એરબેગ, ચાલક અને એની સાથે વાળી સીટ માટે સીટ બેલ્ટ રિમાઇન્ડર, પાર્કિંગ સેન્સર અને ચાલક માટે ઓવરસ્પીડ અલર્ટ સામેલ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અધ્યક્ષે જણાવ્યું કે, 'સુરક્ષા અમારી ઉત્પાદ વિકાસ પ્રક્રિયાનો મુખ્ય અંગ છે અને અમે સુરક્ષાથી જોડાયેલા નિયમોની જરૂરીયાતોનું સ્વાગત કરીએ છીએ. જો કે, સુરક્ષા જરૂરીયતોના કારણે ખર્ચમાં થોડો વધારો થયો છે. આ કારણથી અમે અમારા કેટલાક યાત્રી વાહનોના ભાવમાં વધારો કરી રહ્યા છે. આ એક જુલાઇ 2019થી લાગૂ થશે. '