દિલ્હી: શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ સચિવાલયમાં નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ રાનિલ વિક્રમસિંઘેને હટાવીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેને નવા પ્રધાનમંત્રી બનાવ્યા છે. જો કે રાનિલ વિક્રમસિંઘેનું કહેવું છે કે તેઓ હજુ પણ શ્રીલંકાના પીએમ છે.
ત્યારે શ્રીલંકામા આવેલા આ સત્તા પલટાથી ભારત સાથેના સંબંધમાં પણ અસર થઈ શકે છે. કારણકે ભારત અને શ્રીલંકા એકબીજાના સૌથી નજીકના પાડોશી છે. જેથી શ્રીલંકાની નાનીમાં નાની ઘટના પણ ભારત માટે મહત્વ રાખે છે. જો કે ભારતે સ્પષ્ટતા કરી છે કે શ્રીલંકામાં કોઈ પણ પ્રધાનમંત્રી બને એ તેમનો આંતરિક વિવાદ છે.
શ્રીલંકાની હાલની આ બંને ઘટના ભારત માટે ખૂબ મહત્વ રાખે છે. શ્રીલંકાના પોર્ટ અને શિપિંગ મંત્રી મહિન્દ્રાએ કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ઈસ્ટ કન્ટેનર કોસ્ટને વિકસિત કરવાનું કામ શ્રીલંકા પોર્ટ ઓથોરિટીને સોંપવામા આવે. ત્યારે શ્રીલંકાના ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી અને ઈન્ટરનેશનલ ટ્રેડ મિનિસ્ટર મલિક સમારાવિક્રમાએ ભારતીય રોકાણકારોને પોર્ટ બનાવવા માટે પક્ષ રજૂ કર્યો.
જ્યારે શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘે વેપાર મંત્રીના પ્રસ્તાવને મનાવવા માટે પ્રયાસ કર્યા. જેમાં કેબિનેટ બેઠક પહેલાં શ્રીલંકાના રાષ્ટ્રપતિએ એક ચીની કંપનીને હંબનટોટા પોર્ટ લીઝ પર આપવાનો વિરોધ કર્યો હતો.
ત્યારે ફરી એકવાર રાજપક્ષે પ્રધાનમત્રી પદે બેસતા ભારત-શ્રીલંકાના સંબંધોની તપાસ શરૂ થઈ છે. અગાઉ પણ રાજપક્ષેને પદભ્રષ્ટ કરવા પાછળ મુખ્ય કારણ હંબનટોટા પોર્ટ ચીનને લીઝ આપવાનો પ્રસ્તાવ પણ મનાઈ રહ્યો છે.