બોલીવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસમાંથી એક છે કે જેણે શરૂઆતમાં ખુબ હિટ ફિલ્મો આપી પરંતુ બાદમાં તેની કરિયર પર બ્રેક લાગી ગઇ હતી.
કરિયર ખતમ થવાની સાથે સાથે તેની સાથે રોડ અકસ્માત પણ થયો. શરૂઆતમાં મહિમા આ અકસ્માત વિશે બોલતા ખચકાતી હતી પરંતુ હવે તે અકસ્માત પર ખુલીને વાત કરે છે.
મહિમાએ તેના સિવાય પોતાના પર્સનલ જીવનના કેટલાક કિસ્સા પણ શૅર કર્યા હતા. મહિમાએ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. જો કે તે લગ્ન ટકી શક્યા નહી અને 2013માં ડિવોર્સ લઇ લીધા હતા. બોબી અને મહિમાની એક દીકરી પણ છે. મહિમાએ કહ્યું કે આ લગ્ન દરમિયાન જ તેના બે વાર મિસકેરેજ થયા છે.
બોલીવૂડ બબલ સાથે વાતચીતમાં મહિમાએ જણાવ્યું કે તે પોતાના લગ્ન બાદ થનારી મુશ્કેલીઓ વિશે વાત કરતા પરિવાર અને મિત્રો સાથે વાત કરવાથી બચતી હતી પરંતુ હવે હું વાત કરી શકુ છુ.
મહિમાએ વધુમાં કહ્યું કે, હું દર વખતે બહાર જવા ઇચ્છતી હતી. કોઇ ઇવેન્ટ હોય કે શો પરંતુ હું મારા બાળકને ડ્રોપ કરવા મમ્મીના ઘરે આવતી હતી અને ત્યાં બે દિવસ રહેતી હતી. મને અહી ખુબ કમ્ફર્ટેબલ મહેસુસ થતુ હતુ. મારા પતિ પણ મારા મુશ્કેલ સમયમાં મારી સાથે નહોતા.
અજય દેવગણ સાથેના લિંક અપની ચર્ચા
ફિલ્મ પરદેસ સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારી મહિમા ચૌધરી અને અજય દેવગણ સાથે લિંક અપની ચર્ચાએ કરિયર પર ખરાબ અસર કરી હતી. જે બાદ અજય કાજોલ સાથે લગ્ન કરી લીધા હતા અને મહિમા ફિલ્મોમાંથી બહાર થઇ ગઇ હતી.
લગ્નથી આવી ગઇ હતી તંગ
મહિમા ચૌધરીએ કહ્યું કે તે તેના લગ્ન જીવનથી ખુબ પરેશાન થઇ ગઇ હતી. તે દિવસોમાં છૂટાછેડા ખુબ મોટી વાત માનવામાં આવતી હતી. જ્યારે તેની માતા સાથે તેણે ખુલીને વાત કરી તો તેની માતાએ તેનો સાથ આપ્યો હતો.
મહિમાએ કહ્યું કે જ્યારે તેનુ મિસકેરેજ થયુ અને તેના કારણે તે પરેશાન હતી ત્યારે તેના પતિએ પણ એક્ટ્રેસનો સાથ આપ્યો નહોતો. હાલમાં મહિમા તેની દીકરીની સિંગલ મધર બનીને તેને મોટી કરી રહી છે.