મહારાષ્ટ્રના મુંબઈમાં માહિમ દરગાહના ટ્રસ્ટી ડૉક્ટર મુદસ્સિર નિસારની મુંબઈ પોલીસે શનિવારે એક મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરી લીધી હતી. ડૉક્ટર મુદસ્સિર નિસાર પર આરોપ છે કે તેમણે પીડિત મહિલાને બેહોશીનું ઇન્જેક્શન લગાવીને દુષ્કર્મ આચર્યું.
ડૉ. મુદ્દાસીર નિસારની દુષ્કર્મના આરોપમાં પોલીસે કરી ધરપકડ
ફરિયાદના 25 દિવસ બાદ ડૉક્ટર મુદસ્સિર નિસારની ધરપકડ
ડૉક્ટર મુદસ્સિર નિસાર માહિમ દરગાહના ટ્રસ્ટી અને સાથે મહારાષ્ટ્ર વક્ફ બોર્ડના સભ્ય પણ છે. મુંબઈ પોલીસે મહિલાની ફરિયાદના 25 દિવસ બાદ ડૉક્ટર મુદસ્સિર નિસારની ધરપકડ કરી છે.
Maharashtra: A case has been registered against Dr Mudassir Nisar, trustee of Mumbai's Mahim Dargah and member of Waqf Board for allegedly raping a woman.
રિપોર્ટ્સ અનુસાર, નવી મુંબઈમાં વિતેલા 7 ડિસેમ્બરે માહિમ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર મુદસ્સિર નિસાર વિરૂદ્ધ દુષ્કર્મ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પીડિત મહિલાએ માહિમ દરગાહના ટ્રસ્ટી ડૉક્ટર મુદસ્સિર નિસાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે મહિલાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ બાદમાં તેઓ ફરી ગયા.
મુંબઈ પોલીસે માહિમ દરગાહના ટ્રસ્ટી ડૉક્ટર મુદસ્સિર નિસાર વિરૂદ્ધ IPCની કલમ 376, 328 અને 506 હેઠળ કેસ દાખલ કર્યો છે. જોકે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવાના 25 દિવસ સુધી આરોપી ડૉક્ટર મુદસ્સિર નિસારની ધરપકડ નહોતી થઇ શકી.