ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ રાજનીતિમાં ઉથલપાથલ થવા લાગી છે. 17 જાન્યુઆરી 2022ના રોજ આમ આદમી પાર્ટીને એક જ દિવસમાં ત્રણ સૌથી મોટા ઝટકા લાગ્યા છે. પાર્ટીના 3 દિગ્ગજોએ રાજીનામાં ધરી દીધા છે.
આમ આદમી પાર્ટીને એક જ દિવસમાં ત્રીજો સૌથી મોટો ઝટકો
સમાજ સેવક અને બિઝનેસમેન મહેશ સવાણીએ AAPમાંથી આપ્યું રાજીનામું
વિજય સુવાળા, નિલમ વ્યાસ બાદ મહેશ સવાણીનું રાજીનામું
આજે(સોમવાર) વિજય સુવાળા, નિલમ વ્યાસ બાદ હવે સમાજ સેવક અને બિઝનેસમેન એવા મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિજય સુવાળા અને નિલમ વ્યાસ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. ત્યારે હવે મહેશ સવાણી પણ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
મહેશ સવાણી ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ
મહેશ સવાણી ભાજપમાં જોડાશે કે કેમ તે અંગે સવાલ પૂછતા તેમણે ભાજપમાં જોડાશે તેવી વાતને તેમણે નકારી નહીં. તેમણે જ્યાં સેવા કરવાનો મોકો મળશે ત્યાં જોડાઇશ તેવું નિવેદન આપ્યું હતું. AAPમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાને લઇને મહેશ સવાણીએ કહ્યું કે, જે સેવા કરતા હશે તેમની સાથે જોડાઇશ. મને હોદ્દાનો કોઇ મોહ નથી. મને મંત્રી થવાનો પણ મોહ નથી. મારે કોઇની પણ સાથે વાદ વિવાદ નથી. મને કોઇનો ડર કે દબાણ નથી. હું રાજીખુશીથી AAP છોડી રહ્યો છું. છેલ્લા ત્રણ ચાર દિવસથી મનોમંથન કર્યું. મેં ભાજપ કે કોંગ્રેસ કોઇની સાથે મિટિંગ નથી કરી. કોઇને પાડી દેવા તેવી ભાવના મારામાં નથી. કોઇના વિશે ખરાબ બોલવું તે યોગ્ય નથી. રાજનીતિમાં સેવા કામ ડબલ થશે તેમ લાગતું હતું. કોઇ પણ પ્રકારનું રાજકીય દબાણ નથી. તમામે મને સમજાવ્યા કે તમે રાજનીતિના માણસ નથી તમે ખોટી જગ્યાએ આવી ગયા છો.
રાજીનામું આપવા પાછળ શું આપ્યું કારણ?
સેવાકીય પ્રવૃત્તિ, બિઝનેસ, દીકરીઓને સમય ન આપી શકવા અને સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યું હોવાની મહેશ સવાણીએ વાત કરી છે. મહેશ સવાણીએ કહ્યું કે, હું લોકસેવામાં માનુ છું. લાંબા સમયથી તબિયત સારી રહેતી નથી. પક્ષમાં જોડાયા પછી હું સેવાના કામમાં સમય નથી આપી શકતો. હું મારા પરિવારને સમય નથી આપી શકતો. મારી દીકરીઓએ કહ્યું તમે સમય આપી શકતા નથી. સેવાનું કામ રાજકારણમાં થઇ શકતું નથી. રાજકારણમાં જઇ કંઇક સારા કામ કરવા હતા. મારી લીમીટમાં કામ કરું છું તે યોગ્ય છે. મને લાગતું હતું કે રાજનીતિમાં જઇને સારુ કરું, પરંતુ જે કરતો હતો તેમાં પણ હવે 50 ટકા પણ સમય નથી આપી શકતો.
શું શું કહ્યું મહેશ સવાણીએ...?
હાલ મને કોઇ હોદ્દા કે મંત્રી થવાનો મોહ નથી મહેશ સવાણી
વધુમાં તેમણે કહ્યું કે, મને એવું લાગે છે કે, મારી લિમીટમાં કામ કરું છું તે યોગ્ય લાગે છે, હું દોડાદોડી નથી કરી શકતો, હું સમય નથી આપી શકતો. હું હંમેશા સેવા સાથે જોડાઇશ. ભાજપ કે કોંગ્રેસ સેવા કરતા હશે, બધાને સાથે લઇને ચાલવું. શાસક પક્ષ ભાજપ છે ત્યારે હાલ મને કોઇ હોદ્દા કે મંત્રી થવાનો મોહ નથી. આમ આદમી પાર્ટીમાં સીએમના ચેહરા તરીકે લોકોએ મને પ્રોજેક્ટ કર્યો છે, હું જાતે તો પ્રોજેક્ટ નથી થયો. હું સેવા માટે પણ ભગવાન પાસે જોડાવું પડે પણ તૈયાર છું. હું સેવાનો માણસ છું, રાજનીતિનો માણસ છું. ભાજપમાં જોડાવાને લઇને કહ્યું કે, એ સમયની વાત છે. તે સમયની વાત છે. સેવાની મારી જ્યા પણ જરૂર હોય, તમામ પ્રોગ્રામ હોય છે, ભાજપ હંમેશા સપોર્ટિંગ ભૂમિકામાં રહ્યા છે.
રાજીખુશીથી રાજીનામું આપું છુંઃ મહેશ સવાણી
વધુમાં કહ્યું કે, હું જ્યારે જોડાયો ત્યારે મે ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે, હાલ પણ મારા માટે ખુલ્લો પ્લોટ જ છે. આપમાં હું આગળ નહીં ચાલી શકું. મારો બિઝનેસ અને તબિયત અને સેવાના કામમાં ડિસ્ટર્બ થાઉ છું. એટલે હું રાજીખુશીથી રાજીનામું આપું છું.
મારા પર કોઇ દબાણ નથી, પરિવારને સમય ન આપી શકતા નિર્ણય લીધોઃ મહેશ સવાણી
તેમણે કોઇ દબાણથી રાજીનામું આપ્યું છે કે કેમ તે અંગે સવાણીએ કહ્યું કે, મને કોઇ બીક, પ્રેશર કે દબાણ નથી. હું તેમાં રહી શકું તેવો માણસ જ નથી. હું જે કરી શકું તે કરવા ટેવાયેલો છું. મને એવું લાગ્યું કે પરિવારને સમય નથી આપી શક્યો, ડિસેમ્બરમાં લગ્ન બાદ પણ સમય નથી આપી શકતા. તેથી મે આ નિર્ણય લીધો છે.
સવાણી 28 જૂને જોડાયા હતા આપમાં...
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓ મનિષ સિસોદીયાની હાજરીમાં 28 જૂને 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ પાર્ટીમાં જોડાયા ત્યારથી આકરા મૂડમાં જણાઇ રહ્યા હતા. થોડા દિવસો અગાઉ તેઓ ઉપવાસ પર પણ બેઠા હતા.
અગાઉ વિજય સુવાળા ભાજપમાં જોડાયા ત્યારે શું કહ્યું...