હિંદી પંચાગ અનુસાર આજે જેઠ મહિનામાં શુક્લ પક્ષની નવમીને મહેશ નવમી તરીકે ઉજવવામા આવે છે. આ વર્ષે આજે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની સાથે જ આ વાતો ન કરવાનું સૂચન કરવામાં આવે છે. સાંજે 5.36 મિનિટે પૂજાનું શુભ મૂહૂર્ત છે. જાણો શું ન કરવાથી આ પૂજાનો લાભ મેળવી શકાય છે.
આજે મહેશ નવમીની ઉજવણી
સાંજે 5.36 મિનિટે પૂજાનું શુભ મૂહૂર્ત
ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા લાભદાયી
મહેશ નવમીનું પુણ્ય મેળવવા આ 10 કામથી રહો દૂર
શિવજીને પ્રસન્ન કરવા કાળા કપડાં ન પહેરો. કાળા કપડાં આજે અશુભ ગણાશે.
ભક્તજનો આજે શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ ગ્રહણ કરે તો દુર્ભાગ્ય આવે છે. આમ કરવાથી ધન હાનિ અને બીમારી પણ હોઈ શકે છે.
શિવલિંગ પર તુલસી ક્યારેય ન ચઢાવો. શિવલિંગ પર દૂધ ચઢાવતાં પહેલાં ધ્યાન રાખો કે તે પેકેટનું દૂધ ન હોય. શિવલિંગ પર ઠંડું દૂધ ચઢાવો. અભિષેક એવા પાત્રથી કરો જે સોના, ચાંદી, કાંસાના હોય. અભિષેક ક્યારેય સ્ટીલ, પ્લાસ્ટિક કે તાંબાના વાસણથી ન કરો.
ભગવાન શિવને ભૂલથી પણ કેતકી કે ચંપાના ફૂલ ન ચઢાવો. આ ફૂલોને ભગવાન શિવે શાપિત કર્યા હતા. કેતકીનું ફૂલ સફેદ થયા બાદ ભોલેનાથની પૂજામાં ન ચઢાવવું.
આજે માંસ કે મદિરાનું સેવન કરવાથી બચવું. આ દિવસે સાત્વિક ભોજન કરવું યોગ્ય છે.
ભગવાન શિવની પૂજામાં ખંડિત ચોખાનો પ્રયોગ ન કરવો. આખા ચોખા પૂર્ણતાનું પ્રતીક છે. આ માટે પૂજામાં આખા ચોખાનો પ્રયોગ કરો.
શિવલિંગ પર સૌથી પહેલાં પંચામૃત (દૂધ, ગંગાજળ, કેસર, મધ અને પાણી) ની પૂજા કરો. દરેક પ્રહર અનુસાર જળ, દહીં, ઘી અને મધનો અભિષેક કરો.
ભગવાન શિવને દૂધ, ગુલાબજળ, ચંદન, દહીં, મધ, ઘી, ખાંડ અને જળનો પ્રયોગ કરીને તિલક લગાવો. ભોલેનાથ તો અનેક ફળ અર્પિત કરી શકાય છે. આજે બોર અચૂક ધરાવો. તે ચિરકાળનું પ્રતીક છે.
મહેશ નવમીએ ભગવાનને પ્રસન્ન કરવા કંકુને બદલે ચંદનનું તિલક લગાવો. પાર્વતીની પૂજામાં કંકુનું તિલક લગાવી શકાય છે.
આજે સવારે વહેલાં ઉઠવું અને સ્નાન કરીને કંઈ ન ખાવું. વ્રત ન હોય તો પણ સ્નાન કર્યા વિના ભોજન ન કરવું.