માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના રિલીઝ થતા જ બંને લગ્ન કરી લેશે. આલિયાના પપ્પા મહેશ ભટ્ટ પણઆ સંબંધને મંજૂરી આપી ચુક્યા છે. તાજેતરમાં મહેશ ભટ્ટથી આલિયા અને રણબીરના લગ્નને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. આલિયાના લગ્નના સમાચાર પર મહેશ ભટ્ટે પોતાનું મંતવ્ય આપ્યું.
રણબીર અને આલિયાની લવ સ્ટોરી હવે કોઇનાથી છુપાયેલી નથી. ખુદ આલિયા અવે રણબીરે સ્વીકાર કરી લીધો છે કે બંને એકબીજાના પ્રેમમાં છે. હાલના દિવસોમાં સતત રણબીર અને આલિયાના લગ્નની ચર્ચા ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના રિલીઝ થતા જ બંને લગ્ન કરી લેશે. આલિયાના પપ્પા મહેશ ભટ્ટ પણઆ સંબંધને મંજૂરી આપી ચુક્યા છે. તાજેતરમાં મહેશ ભટ્ટથી આલિયા અને રણબીરના લગ્નને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. આલિયાના લગ્નના સમાચાર પર મહેશ ભટ્ટે પોતાનું મંતવ્ય આપ્યું. એમને કહ્યું, આલિયા અને રણબીર એકબીજાના પ્રેમમાં છે. રણબીર એક સારો છોકરો છે અને હું રણબીરને પસંદ કરું છું. એ પોતાના સંબંધને લઇને શું કરે છે હવે આ એમને જોવાનું છે.
મહેશ ભટ્ટ પોતાની પુત્રીની પસંદગી પર ખૂબ ખુશ છે. એ પણ ઇચ્છે છે કે રણબીર આલિયા લગ્ન કરી લે. થોડાક દિવસ પહેલા પણ એમને બંનેના સંબંધ પર નિવેદન આપ્યું હતું. આલિયાના પિતા મહેશ ભટ્ટે કહ્યું હતું કે, 'હાં આલિયા, રણબીર એકબીજાને પ્રેમ કરે છે. આટલું જ નહીં આગળ મહેશ ભટ્ટે કહ્યું કે એમના સંબંધને લઇને લોકો જે પણ અંદાજો લગાવી રહ્યા છે એમને એ કામ કરવા દો. મહેશ ભટ્ટે એવું પણ જણાવ્યું કે બંને એ પોતાના રિલેશનશીપને આગળ કેવી રીતે વધારવા છે એની પર એ લોકો નિર્ણય લેશે.
આલિયા ભટ્ટ રણબીર કપૂરની સાથે પોતાના રિલેશનશિપને લઇને ખૂબ ખુશ છે. તાજેતરમાં એક ઇવેન્ટ પર જ્યારે આલિયાને એના લગ્નને લઇને પૂછવામાં આવ્યું તો એને મજેદાર જવાબ આપ્યો. એને કહ્યું હતું કે મીડિયામાં એમના લગ્નને લઇને સમાચાર છપાય છે એને વાંચવામાં મજા આવે છે. આલિયાએ આગળ કહ્યું કે, 'મને નથી ખબર અત્યાર કઇ અફવાઓ ચાલી રહી છે. મને લાગી રહ્યું છે કે ત્રીજા સપ્તાહમાં એક નવી લગ્નની તારીખ આવી જાય છે અથવા એક અફવા ફેલાઇ જાય છે. આ તમામ ચીજો ખૂબ મનોરંજક હોય છે.'