આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ, સોની રાઝદાન અને પૂજા ભટ્ટ શાહિન ભટ્ટના બૂક લોન્ચમાં હાજર રહ્યા હતા. માનસિક સ્વાસ્થ્ય વિષે વાતો કરતા મહેશ ભટ્ટે તેનો મિજાજ ગુમાવતા ઉંચા અવાજે બોલવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે આલિયા ભટ્ટ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ હતી.
મહેશ ભટ્ટ તેના આખા બોલા સ્વભાવ માટે અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. તેઓ શાહિન ભટ્ટે લોન્ચ કરેલી નવી બૂક ‘I’ve Never Been (Un)Happier’ના ફંક્શનમાં આલિયા ભટ્ટ, સોની રાઝદાન અને પૂજા ભટ્ટની હાજરીમાં ડિપ્રેશન, માનસિક સ્વાસ્થ્ય વગેરે વિષયો ઉપર ચર્ચા કરી રહ્યા હતા.
મહેશ ભટ્ટે એક પત્રકારને માનસિક સ્વાસ્થ્ય કથળ્યા બાદ પણ વ્યક્તિએ સમાજમાં ભળી રહેવાની બાબત ઉપર પોતાનો અભિગમ રજુ કરતા પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સોની રાઝદાન પાછળથી મહેશ ભટ્ટની પીઠ થપથપાવીને તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતી જોવા મળી હતી. આલિયાએ પણ વચ્ચે ટિપ્પણી કરી હતી કે તેણે ચેતવણી આપી હતી કે આ મુદ્દો ન ઉછાળે. જો કે મહેશ ભટ્ટે મક્કમપણે પોતાનો મત પ્રગટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે નાની છોકરીને આ હિંસક સમાજમાં ભળી જવાની અપેક્ષા ન રાખી શકે.
શાહિનના બૂક લોન્ચમાં આલિયા ભટ્ટ અને સોની રાઝદાને જણાવ્યું હતું કે તેઓ શાહિનને ખુશ રાખવાનો સૌથી વધુ પ્રયત્ન કરતા હતા. સોની રાઝદાને ડિપ્રેશનના લક્ષણોમાં રાત્રે ઊંઘ ન આવવી એક લક્ષણ તરીકે નોંધ્યો હતો અને તેણે કહ્યું હતું કે આ લક્ષણો ઉપરથી લોકો ડિપ્રેશનથી પીડાય છે એવું લોકો સમજી નથી શકતા. આ ઉપરાંત શાહિને આ લક્ષણો હોવા છતાં મદદ લેવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો તેની વાત કરી હતી.