એક મોટા કાર્યક્રમમાં પીએમ મોદીએ દિલ્હીથી આ ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો જોકે જોરશોરથી શરૂ કરવામાં આવેલ આ ટ્રેનને માંડ માંડ પેસેન્જર પણ મળી નથી રહ્યા.
ટ્રેનમાં બેસનાર કોઇ નહી
ગાંધીનગર-વરેઠા વચ્ચે ટ્રેનને મુસાફરની રાહ
અઠવાડિયામાં માત્ર 22 ટિકિટ વેચાઇ
માત્ર 11 કિમીનું 30 રૂપિયા ભાડુ
PM મોદીએ કરાવ્યો હતો શુભારંભ
ગાંધીનગર અને વરેઠાની વચ્ચે જ્યારે મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી ત્યારે મહેસાણાનાં 12 સ્ટેશનો પર તે ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રનાં રેલવે મંત્રી પોતે આગેવાની કરી રહ્યા હતા. નોંધનીય છે કે એક મોટા કાર્યક્રમમાં પીએમ મોદીએ દિલ્હીથી આ ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો. ટ્રેનની શરૂઆત બાદ ભાજપ નેતાઓ તથા ધારાસભ્યોએ આ ટ્રેન સેવાનાં ખૂબ વખાણ પણ કર્યા હતા.
ટ્રેનને નથી મળી રહ્યા મુસાફર
જોકે જોરશોરથી શરૂ કરવામાં આવેલ આ ટ્રેનને માંડ માંડ પેસેન્જર પણ મળી નથી રહ્યા. છેલ્લા 12 દિવસમાં આ ટ્રેનમાં માત્ર 112 ટિકિટ જ વેચાઈ છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો મહેસાણા-વરેઠા વચ્ચે માત્ર 22 ટિકિટ વેચાઇ છે જ્યારે મહેસાણા-ગાંધીનગરની માત્ર 26 ટિકિટ વેચાઇ.
શું છે કારણ?
લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા નથી તેનું મુખ્ય કારણ ટ્રેનની ટિકિટના ભાવ છે. ટ્રેનમાં મહેસાણા વિસનગર વચ્ચે 30 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે જ્યારે જ્યારે ST બસમાં 18 રૂપિયામાં મુસાફરી થાય છે. આ સિવાય ટ્રેનનો સમય પણ પેસેન્જરો માટે અનુકૂળ આવતો નથી. દરરોજ અપડાઉન કરનારા પેસેન્જરો માટે આ ટ્રેનો ઉપયોગી થઈ રહી નથી. જોકે આ બાબતે હવે મહેસાણા સાંસદ શારદાબેને રેલવે મંત્રીને પત્ર લખ્યો છે અને સમય બદલવા માંગ કરી છે.