ભાજપમાં નેતાઓની ભરતીની સિઝન યથાવત છે. ત્યારે રાજ્યના વધુ એક કદ્દાવર નેતા ભાજપમાં જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી પાર્ટીના નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાય શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા તાજેતરમાં જ NCPમાં જોડાયા છે. જ્યારે આ અગાઉ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ રામ રામ કર્યા હતા.
મહત્વનું છે કે આઠ મહિના અગાઉ કોંગ્રેસ સાથે છેડો ફાડીને મહેન્દ્રસિંહ વાઘેલા સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ સાથે છેડોફાડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તેમને ભાજપનું રાજકારણ માફક ના આવ્યું હતો તેમ રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ ફરી તેઓ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો સર્જાયો છે.