ટેસ્ટ ક્રિકેટમાં રિટાર્યમેન્ટ લઇ ચૂકેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસારપ્રશાસકોની સમિતિ ધોનીનો કૉન્ટ્રાક્ટ પૂરો કરી શકે છે. રિપોર્ટ અનુસારઆ સમિતિ 3 ગ્રેડ કૉન્ટ્રાક્ટને પૂરો કરવા ઇચ્છે છે અને તેની જગ્યાએ નવી ફૉર્મ્યૂલા લાગૂ કરવા ઇચ્છે છે. સમિતિ A Plus A B અને C ગ્રેડનું ફૉર્મ્યૂલા લાગૂ કરવા ઇચ્છે છે. નવા ગ્રેડ અનુસારજે પ્લેયર ટીમ ઇન્ડિયાના 3 ફોર્મેટ ટેસ્ટવનડે અને T-20 રમી રહ્યા છેતેમણે A Plus કેટેગરીમાં રાખવામાં આવશે.
મહેન્દ્ર સિંહ ધોની હવે ટેસ્ટ ક્રિકેટમાં રિટાર્યમેન્ટ લઇ ચૂક્યો છે. સૂત્રોનુસારએવામાં તેણે એક સ્થાન નીચે A કેટેગરીમાં રાખવામાં આવી શકે છે. અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમયથી માત્ર ટેસ્ટ ટીમનો ભાગ છે. તો તેમની કેટેગરી પણ નક્કી કરવામાં આવશે.
પ્રશાસકોની સમિતિ આ પ્રપોઝલને જલ્દીથી BCCIની ફાઇનાન્સ કમિટીને મોકલશે. જે પછી આ પ્રપોઝલ પર આગળ વિચાર કરવામાં આવશે. આ પહેલા ક્રિકેટરોની સેલરીના મામલામાં 30 નવેમ્બરના પ્રશાસકોની સમિતિની સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીહેડ કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિહ ધોનીની એક મીટિંગ થઇ હતી.
આ મીટિંગ પછી સમિતિએ સેલરી વધારવાની વાતને મંજૂર કરી લીધી હતી અને આશ્વાસન આપ્યુ હતુ કે જે પ્લેયર માત્ર એક જ ફોર્મેટ રમી રહ્યો છેતેની સેલરીમાં પણ વધારો થશે. COA ની નવી ગાઇડલાઇન પછી હવે જોવાનું રહ્યુ કે હવે જોવાનું એ છે કે કયા પ્લેયરને કયા કૉન્ટ્રાક્ટ હેઠળ લેવામાં આવે છે.