ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની IPLની આગામી સિઝનમાં રમવા માટેની અટકળો શરૂ થઇ ગઇ છે, જેના પાછળ સૌથી મોટુ કારણ સુરેશ રૈનાનું તે નિવેદન છ જેમાં તેણે કહ્યુ હતુ કે, ''ધોનીના જો IPL રિટાર્યરમેન્ટ લેવા પર હું કેપ્ટન્સી કરવા માટે તૈયાર છું.''
જોકે, ધોનીએ પોતે આ નિવેદનમાં સાથ આપ્યો છે. ધોનીએ કહ્યુ કે, ''જો ચેન્નાઇની ટીમ આગામી IPLમાં થનારા ઓક્શનમાં ખરીદે છે તો મારું આ ડિમોશન છે.'' ધોનીએ કહ્યુ કે, ''ચેન્નાઇને મને આગામી વખત રિટેન કરવો જોઇએ, લાગે છે કે મારે ટીમમા માલિકોની સાથે વાત કરી પડશે કે તેઓ શું નિર્ણય લેશે.''
તો બીજી તરફ ચેન્નાઇના બેટ્સમેન સુરેશ રૈનાએ કહ્યુ કે, ''એમ એસ ધોનીની હાજરીથી બાકીની ટીમો પર દબાણ પડી જાય છે અને ધોનીના રિટાર્યરમેન્ટ પછી તેની ઉણપ પૂરી કરવી મુશ્કેલ છે.''
જ્યારે સુરેશ રૈનાને પૂછવામાં આવ્યુ કે ધોનીની ગેરહાજરીમાં કેપ્ટન્સી કરવી કેટલી મુશ્કેલ હતી તો રૈનાએ કહ્યુ કે, ''ધોની કેપ્ટન તરીકે ગુમાવવો મોટી વાત નથી પરંતુ બેટ્સમેન તરીકે ટીમમાં ના હોય તો મુશ્કેલી થાય છે. હૈદરાબાદ અને મુંબઇ વિરુદ્ઘ આ જ થયુ હતુ.''
રૈનાએ ધોનીના વખાણ કરતા કહ્યુ કે, ''ધોની જ્યારે ક્રિઝ પર હોય છે ત્યારે વિરોધી ટીમમાં પણ દબાણમાં આવી જાય છે. તે નથી હોતો તેની સ્થિતિ અમે જોઇ છે.'' આ સાથે જ તેણે સંકેત પણ આપ્યો કે ધોની ચેન્નાઇ ટીમમાં ના રહે તો કેપ્ટન્સી હું કરી શકીશ.
સુરેશ રૈનાએ કહ્યુ કે, ''ધોનીએ IPLમાં ગત વર્ષોમાં ટીમમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યુ છે. રિટાર્યરમેન્ટ પછી હું કેપ્ટન્સી કરી શકુ છુ. પરંતુ તે ઇચ્છે ત્યાં સુધી ચેન્નાઇ માટે રમી શકે છે.''
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇના કેપ્ટન ધોની IPLની આ સિઝનમાં બિમાર હોવાને કારણે 2 મેચ નથી રમી શક્યો, મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ઘની બંને મેચમાં ચેન્નાઇની હાર થઇ. ગત મેચમાં દિલ્હી કેપ્ટિલ્સ વિરુદ્ઘ ધોનીએ 22 બૉલમાં 44 રન કર્યા અને 2 વખત સ્ટમ્પિંગ પણ કર્યુ જેની મદદથી ચેન્નાઇએ 80 રનથી જીત મેળવી.