બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:33 PM, 22 June 2020
ADVERTISEMENT
નીરજ પાંડેએ કહ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સાંભળીને મહેન્દ્રસિંહ ધોની દુ: ખી છે. 14 જૂનના દિવસે સુશાંતે આત્મહત્યા કરી હતી તે જ દિવસે નીરજે ધોનીને ફોન કર્યો હતો. નીરજ ધોનીને સુશાંતના અવસાન વિશે માહિતગાર કર્યા હતા. જેનાથી માત્ર ધોની જ નહીં પરંતુ તેનો આખો પરિવાર ખૂબ જ દુ:ખી છે. આપને જણાવી દઈએ કે ધોનીની બાયોપિક દરમિયાન સુશાંતે માત્ર ધોની જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યો સાથે પણ લાંબો સમય પસાર કર્યો હતો.
ADVERTISEMENT
સુશાંત પોતાને ભાગ્યશાળી માનતો હતો
નીરજ પાંડેએ એમ પણ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત તે સમયે પોતાને ખૂબ ભાગ્યશાળી માનતા હતા કે તેમને મહેન્દ્રસિંહ ધોની જેવા મહાન ખેલાડીની બાયોપિકમાં કામ કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. આ માટે સુશાંતે પણ ખૂબ મહેનત કરી હતી, જેના ખુદ ધોનીએ ઘણી વખત વખાણ કર્યા હતા. સુશાંતની કારકિર્દીમાં ધોનીની બાયોપિક મુખ્ય ફિલ્મ હતી. ધોનીએ આ ફિલ્મ દરમિયાન તેની સાથે જેટલો સમય પસાર કર્યો તે સુનિશ્ચિત છે કે ધોની પણ સુશાંતને મિસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.