વર્લ્ડ કપમાં શનિવારે ટીમ ઇન્ડિયા શ્રીલંકા વિરુદ્ઘ પોતાની છેલ્લી લીગ મેચ રમશે. માનવામાં આવી રહ્યુ છે કે, વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયીની છેલ્લી મેચ ધોનીના ઇન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હશે, જે પછી તે સંન્યાસની જાહેરાત કરી દેશે.
જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની વર્લ્ડ કપ પછી પણ આગળ રમવાનું ચાલુ રાખી શકે છે. એક ન્યૂઝ ચેનલના દાવા અનુસાર, ધોનીએ પોતાના રિટાયરમેન્ટને લઇને પહેલી વખત પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યુ કે, ''મને પોતાને નથી ખબર કે હું ક્યારે સંન્યાસ લઇશ, પરંતુ કેટલાક લોકો મને શ્રીલંકા વિરુદ્ઘની મેચ પહેલા જ રિટાયર કરી દેવા માંગે છે.''
રિપોર્ટ્સ અનુસાર, ધોનીના આ નિવેદનનું ટીમ મેનજમેન્ટ સાથે કોઇ લેવા દેવા નથી. તે માત્ર મીડિયાને ટાર્ગટ કરી રહ્યા હતા કે જેઓ સતત તેમના ભવિષ્ય વિશે ટીપ્પણીઓ કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સીનો દાવો, ધોનીની છેલ્લી મેચ
વાસ્તવમાં ન્યૂઝ એજન્સીની રિપોર્ટમાં BCCIના એક અધિકારીનું નામ ન જણાવવાની શરતે કહ્યુ કે, વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જર્સીમાં ધોનીની છેલ્લી મેચ હોઇ શકે છે. ભારતીય ટીમ પહેલાથી સેમિફાઇનલમાં એન્ટ્રી કરીને ક્વૉલિફાઇ કરી ચૂકી છે, એવામાં ધોની ઓછામાં ઓછી શ્રીલંકા પછીને એક મેચ રમશે. જો વિરાટ કોહલીને કેપ્ટન્સીમાં ટીમ સેમિફાઇનલ જીતી જાય અને તે પછી જો ફાઇનલ પણ જીતી જાય તો ધોની માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેની યાદગાર વિદાય થશે.
કેપ્ટન કોહલી સતત કરે છે ધોનીનું સમર્થન:
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી ઘણી વખત ધોનીનું સમર્થન કરતા જોવા મળ્યા છે. તાજેતરમાં જ વેસ્ટઈન્ડિઝ સામેની મેચ પછી કોહલીએ ધોનીને ક્રિકેટના લેજન્ડ કહ્યા હતા. કોહલીએ કહ્યું હતું કે, ''ધોનની સમજ અને અનુભવ ટીમ માટે બેસ્ટ છે.'' આ સિવાય પણ ઘણી વખત ધોનીની ખરાબ બેટિંગ વિશે પણ કોહલી તેનો બચાવ કરી ચૂક્યો છે.