ઓઝોન ગ્રુપની બાવળામાં ધ તસ્કની બીચ સીટીમાં 1 લાખ વારની જમીન ખરીદી પણ દસ્તાવેજ ન કરી આપ્યો: મહેન્દ્ર ફળદુએ સુસાઈડ નોટમાં કર્યો ઉલ્લેખ
મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં ખુલાસો
અમદાવાદના ઓઝોન ગ્રુપની સ્કીમમાં કર્યુ હતુ રોકાણ
જમીનનો દસ્તાવેજ ન કરી આપતા સુસાઈડ કર્યાનો આક્ષેપ
મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતા પહેલા મીડિયાને પ્રેસનોટ મોકલી હતી.જેમાં અમદાવાદના બાવળામાં "ધ તસ્કની બીચ સીટી" નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુએ 1 લાખ વારની જમીન ખરીદી હતી તેવો ઉલ્લેખ છે .2007માં 3 કરોડથી વધુ રૂપિયાનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કરાયું હતુ. આ જમીનના દસ્તાવેજ ન કરી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
5 લાખ વારનો છે બાવળાનો ધ તસ્ક બીચ સિટીનો પ્રોજેક્ટ
રાજકોટ શહેરનાં આગેવાન, સીનીયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ (સુરેજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રૂપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણય કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જીલ્લાનાં બાવળા તાલુકાનાં ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ધ તસ્ક બીચ સિટી” ના નામનો પ્રોજેકટ બનાવી રહયા હતા.
(સુસાઇડ નોટમાં ઓઝોન ગ્રુપની બાવળામાં ધ તસ્કની બીચ સીટીમાં 1 લાખ વારની જમીન ખરીદી પેમેન્ટ કરી દીધું હોવાનો ઉલ્લેખ)
બાવળાના પ્રોજેક્ટમાં આશરે 3 કરોડથી પણ વધારેનું ચૂકવણું કર્યું પણ દસ્તાવેજ ન કરી આપ્યા
તે પ્રોજેકટમાં મહેન્દ્ર કેશવલાલ ફડદુ, બે પોતાનાં નામે, તેમનાં સગા-વ્હાલાનાં નામે આશરે ચો.વા.48000 જમીન વર્ષ–2007 માં બુક કરાવેલ, તે જ રીતે તેના નાના ભાઈ રમેશ કેશવલાલ ફડદુ, શૈલેષ કેશવલાલ ફડદુ, તેનાં સગા કાકા વિનયકાંત ટી. ફડદુ સહિતનાં અન્ય લોકોને આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્રભાઈ ફડદુ મારફતે બુક કરાવેલુ હતુ અને તેનું પેમેન્ટ પણ વર્ષ–2007માં જ કરી નાખ્યું હતું, આ રકમ આશરે 3 કરોડથી પણ વધારે થાય છે તે ૨કમ વર્ષ-2007માં જ કંપનીમાં જમા કરાવી દીધું હતું. જેમાં રોકડ રકમનો વહીવટ અલગ છે તેવો પણ પ્રેસ રિલીઝ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પણ રકમનું ચુકવણું કરી દીધા બાદ પણ દસ્તાવેજ ન કરી દાદાગીરી અને સાથે માનસિક હેરાનગતિ કરવામાં આવી હોવાનો ઓઝોન ગ્રુપ સહિત 7 શખ્સો સામે આરોપ મૂકવામાં આવ્યો છે.
સુસાઇડ નોટમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આપઘાત કરતા પહેલા તેણે મીડિયાને પ્રેસનોટ મોકલી હતી. જેમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું હતું. નોટમાં લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી. મારા ગ્રુપના 70 કરોડના દસ્તાવેજો છે. અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા, જયેશ પટેલ, દીપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. મને ખૂજ હેરાન કર્યો છે અને મારા પર ફરિયાદો કરે છે અને ધમકી આપે છે.
પ્રેસનોટમાં અક્ષર મહેન્દ્ર ફળદુના છે કે પછી અન્ય કોઈના ?
ઓફિસના દરેક વ્યક્તિને મોડા આવવાનું કહ્યું
રાજકોટમાં જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ આપઘાત મામલે FSLની ટીમ પહોંચી મહેન્દ્ર ફળદુની ઓફિસમાં પણ પહોંચી છે. FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહેન્દ્ર ફળદુ પોતાની ઓફિસમાં વહેલા પહોંચ્યા હતા અને ઓફિસના દરેક વ્યકતિને મોડા આવવા કહ્યુ હતું. સોમવારના રોજ ઓફિસમાં સાફસફાઈ કરાવી હતી. સોમવારના રોજ થોડાક પેપર વર્ક પણ કર્યુ હતું. કાલે તેમણે કરોડો રૂપિયાના વ્યવહાર પણ કર્યા હતાં
કોણ હતા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલ?
મહેન્દ્ર પટેલ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી પગલું ભર્યું છે.IAS અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું કહીને ધમકી અપાતી હતી.મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી ગ્રુપના ચેરમેન હતા.એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે મહેન્દ્ર પટેલ જોડાયેલા હતા.
ભાજપ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવશે: ધારાસભ્ય લલિત કગથરા, કોંગ્રેસ
રાજકોટમાં બિલ્ડરના આપઘાતનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે મહેન્દ્ર ફળદુને હું સારી રીતે ઓળખતો હતો.મહેન્દ્ર ફળદુએ આજે કંટાળીને આપઘાત કર્યો છે.મહેન્દ્ર ફળદુ તંત્રથી કેટલા ત્રાહિમામ પોકારી ગયા હશે.જેમના નામ લીધા છે તેમની સામે તપાસ થવી જોઇએ.યોગ્ય તપાસ થાય તો ભાજપ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવશે.આ સાથે જ કહ્યું કે, જસદણમાં પિતા-પુત્રએ પણ આપઘાત કર્યો હતો.વ્યાજચક્ર અને માથાભારે તત્વોથી લોકો પરેશાન થયા હતા.કોરોના કરતા પણ મોટી મહામારી વ્યાજચક્ર છે.પોલીસ પણ આવા વ્યાજખોરો સામે કોઇ કાર્યવાહી કરતી નથી.વ્યાજખોરોને પોલીસ કે કાયદાની કોઇ બીક નથી.લોકોને ડરાવી મિલકતો લખાવી લેવામાં આવે છે...વ્યાજની રકમની પઠાણી ઉઘરાણીઓ કરવામાં આવે છે.