ગુજરાતમાં ખુબ જ ચર્ચાસ્પદ બનેલા શિવાંશને તરછોડવા અને મહેંદી હત્યા કેસમાં પોલીસને એક બાદ એક નવી માહિતીઓ મળી રહી છે. તેવામાં હવે વધુ એક માહિતી મળી છે.
પેથાપુર બાળકને ત્યાજી દેવાનો મામલો
કેસમાં પોલીસને નવી વિગતો મળી આવી
પ્રેમ પ્રકરણની જાણ બંને પરિવારને હતી
ગાંધીનગર પેથાપુર બાળકને ત્યાજી દેવા અને મહેંદી હત્યા કેસમાં પોલીસને ધ્યાને નવી વિગતો લાગી છે. પોલીસને મળેલી માહિતી અનુસાર, બંનેના પરિવારોને પ્રેમ પ્રકરણની જાણ હતી. મહેંદીએ જીવન આસ્થાની મદદ લીધી હતી. જેમાં તેમણે 1 નવેમ્બર 2019ના રોજ ફોન કરેલો. તેણે 54 મિનિટ સુધી કાઉન્સિલર સાથે વાત કરી હતી. મહેંદીને પતિ સાથે જીવન જીવવું જોઈએ એવું સમજાવ્યુ હતું. શાહીબાગ મહિલા પોલીસમાં પણ મહેંદીએ અરજી કરી હતી. પોલીસે સચિન સામે કાર્યવાહીના પગલાં પણ ભર્યા હતા. જીવન આસ્થામાં સલામતી ના લાગતી હોવાનું જણાવ્યું હતું. મહેંદીએ બોયફ્રેન્ડ સચિન સાથે ના રહેવા પણ કાઉન્સેલિંગ કરાયું હતું. પતિ સાથેના ઝઘડા પૂર્ણ કરવા જોઇએ એવી સમજ અપાઈ હતી. મહેંદી સાથે લિવ ઇનમાં રહેતા પૂર્વ સચિને લગ્ન છુપાવ્યા હતા. સચિન અને મહેંદી થોડો સમય અલગ પણ થયા હતા.
શું બની હતી ઘટના?
ગાંધીનગરના પેથાપૂરમાં માસૂમ શિવાંશને તરછોડાયા બાદ એક પછી એક મહત્વના ખુલાસા થઈ રહ્યા છે. એકબાજુ શિવાંશના પિતા સચિન દિક્ષિતે શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદી પેથાણીની હત્યા કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો. તપાસમાં એ તથ્યો પણ બહાર આવ્યા છે કે હિના અને સચિન વર્ષ 2018થી એકબીજાની સાથે લિવ ઈનમાં રહેતા હતા અને માસૂમ શિવાંશનો જન્મ થયો હતો. સચિને હિના સાથે લગ્ન નહોતા કર્યા. જોકે હિના અને સચિન વચ્ચે ઝઘડા થતા હતા અને હિના સચિનને તેના પરિવારને બદલે વડોદરા રહેવા દબાણ કરતી હતી. પતિ-પત્ની વચ્ચેના આ ઝઘડાને લઈને સચિન ઉશ્કેરાઈ ગયો અને તેણે હિનાનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી.
તો બીજી બાજુ શિવાંશને ગાંધીનગર સ્થિત પેથાપૂર ગૌશાળા ખાતે તરછોડી ગયો અને ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ ગયો હતો. જોકે આ સમગ્ર મામલે પોલીસે કેસ ઉકેલી નાંખ્યો અને સચીનની ધરપકડ પણ કરી લીધી હતી. ત્યારે સવાલ એ છે કે શિક્ષિત સમાજમાં આવી ઘટનાઓ કેમ બની રહી છે? પ્રેમ સબંધમાં માસૂમનો શું વાંક હતો? આવા કરૂણ અંજામથી સમાજે શું શીખ લેવાની જરૂર છે?