પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કલમ 370 અને 35 A પર નિવેદન આપ્યું હતું. આજે અમિત શાહે પણ આ કલમ હટાવવાની વાત કરતા રાજકારણ ગરમાયું છે. આ મામલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આ મામલે નિવેદન બાજી બંધ કરી કલમને હટાવવાની કોશિશ ન કરવા ચેતવણી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ અવારનવાર ચૂંટણી સભામાં જમ્મુ કશ્મીરનો ઉલ્લેખ કરે છે. ખાસ કરીને ત્યાની કલમ 370 અને 35 એ મામલે નિવેદન કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ખાનગી ન્યુઝ ચેનલમાં આપેલા ઈનટરવ્યૂહમાં આ કલમ ખતમ કરવાની વાત કરી હતી. આજ મામલે અમિત શાહે પણ આજે નિવેદન કરીને આ કલમ ખતમ કરવાની વાત કરી હતી.
આ મામલે જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ નિવેદન આપ્યું હતું. મહેબૂબાએ કહ્યું કે, સરકાર માત્ર આ કલમ હટાવવાના સપના જોઈ રહી છે તે શક્ય બનવાનું નથી કારણ કે આ સરકાર ફરીવાર બનવાની નથી.
તેમણે વધુમાં કહ્યુ કે, લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી થયેલા મતદાનમાં ભાજપની ખરાબ સ્થિતિ છે. તેઓ ફરીવાર સત્તામાં આવવાના નથી. તેના કારણે તેઓ પ્રજાને ખોટા વાયદા આપવાના બંધ કરે.
મહેબૂબા મુફ્તીનું ટ્વિટ
પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને લખ્યું કે, ન નૌ મન તેલ હોગા ન રાધા નાચેગી. અત્યાર સુધીની લોકસભા મતદાનમાં ભાજપનું પ્રદર્શન દયનીય રહ્યું છે. ગઠબંધન બહુ સારૂ રહ્યું છે, એટલા માટે ન તો ભાજપ બીજી વખત ચૂંટણી જીતશે અને ન તો કલમ 370 ખતમ કરી શકશે. સપના જોતા રહો.
Na nau mann tel hoga
Aur na radha nachegi
BJP’s performance in the phases held until now has been pathetic. Gathbandan’s doing very well. Therefore neither will BJP be reelected nor will they scrap Article 370. Khwaab dekhtay raho! https://t.co/0uH9Q5cobd
જમ્મુ કશ્મીરમાં ઘણા સમયથી આ બંને કલમને લઈને નિવેદન બાજી ચાલી રહી છે. મુફ્તી આ પહેલા પણ આ રીતના નિવેદનો આપી ચુક્યા છે. તેઓ પાકિસ્તાન પર પ્રહાર કરનારા નિવેદન પર પણ ભારત સરકાર વિરુદ્ધ બફાટ કરતા જોવા મળ્યા હતા.