રાજકોટમાં મહાવીર જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.
જૈન સમાજના 24માં તીર્થકર મહાવીર સ્વામીની આજે જયંતિ છે. જેને લઇને આ શોભાયાત્રા નિકાળવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે આખો જૈન સમાજ મહાવીર જયંતિને ઊજવી રહ્યો છે.
રાજકોટમાં વધારેમાં વધારે જૈન સમાજના લોકો રહે છે. દર વર્ષે આ તહેવારની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મહાવીર જયંતિને લઇને 3 થી 4 કિલોમીટરની શોભાયાત્ર પણ નિકાળવામાં આવી છે.