આજે મહત્મા ગાંધીની પુણ્યતિથીએ રાહુલ ગાંધીએ તેમને યાદ કરીને ટ્વીટર પર ટ્વીટ કર્યું. પરંતુ તે ટ્વીટમાં ગોડસેને હિંદુત્વ વાદી ગણાવી તેમણે કેન્દ્ર સરકાર અને આરએસએસ સામે નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ ફરી ભાજપ પર કર્યા આકરા પ્રહાર
મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર ટ્વીટ કરીને નિશાન સાંધ્યું
ગોડસેને હિંદુત્વવાદી ગણાવી BJP અને RSS પર નિશાન સાધ્યું
આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથી છે. જેથી આખો દેશ આજે તેમને નમન કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને યાદ કરીને એક પોસ્ટ અપલોડ કરી છે. જેમા તેમણે હિદુંત્વને લઈને નિશાન સાધ્યું છે. ટ્વીટર પર રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરીને હિંદુત્વને લઈને નિશાન સાંધવામાં આવ્યું છે.
एक हिंदुत्ववादी ने गाँधी जी को गोली मारी थी।
सब हिंदुत्ववादियों को लगता है कि गाँधी जी नहीं रहे।
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે એક હિંદુત્વવાદી દ્વારાજ મહાત્મા ગાંધીને ગોળી મારવામાં આવી હતી. બધાજ હિંદુત્વવાજદrઓને લાગે છે કે ગાંધીજી નથી રહ્યા. પરંતુ જ્યા સત્ય છે ત્યા બાપૂ આજે પણ જીવીત છે. જેથી આ ટ્વીટને લઈને રાહુલ ગાંધી ફરી ચર્ચામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના ટ્વીટ પર ઘણા બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.
ગોડસેને હિંદુત્વવાદી ગણાવ્યો
રાહુલ ગાંધી ગાંધીજીના હત્યા ગોડસેને હિંદુત્વવાદી બતાવી રહ્યા છે અને ગોડસે સાથે જોડીને ભાજપ અને આરએસએસના લોકોને પણ હિંદુત્વવાદી કહી રહ્યા છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે હિંદુ અને હિંદુત્વવાદીમાં ફરક છે. તેઓ પોતાને હિંદુ ગણાવી રહ્યા છે. જ્યારે ભાજપ સાથે જે પણ લોકો જોડાયેલા છે તેમને તેઓ હિંદુત્વવાદી ગણાવી રહ્યા છે.
5 ફેબ્રુઆરીછી સુનાવણી
આપને જણાવી દઈએ કે 1 દિવસ અગાઉ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની અદાલતે કહ્યું કે રાહુલગાંધી સામે રાષ્ટ્રીય સવ્યંસેવક સંઘના એક કાર્યકર્તા દ્વારા માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેની સુનાવણી 5 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
2018માં આપ્યું હતું વિવાદીત નિવેદન
ઉલ્લેખીય છે કે 2018માં રાહુલ ગાંધીએ તેમના એક ભાષણમાં એવો આરોપ લગાવ્યો હતો કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ સંઘનો હાથ હતો. જેથી RSSના એક સ્થાનીય કાર્યકર્તા દ્વારા દાવો કરવામાં આવ્યો કે તેમના આ નિવેદનને લઈને આરએસએસની પ્રતિષ્ઠાને ઠેસ પહોચી છે. જોકે રાહુલ ગાંધીએ તેમના પર લાગેલા આરોપો નકારી દીધા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે તાજેતરમાંજ આદેશ આપ્યો કે રાહુલ ગાંધીનો કેસ આ શ્રેણી હેઠળ આવે છે. જેથી ઝડપથી સુનાવણી કરવામાં આવે.