મહાત્મા ગાંધીનું સંયમિત જીવન સૌ કોઈ જાણે છે. ઉપવાસ, જમવાનું વ્રત, તપ નિયમમાં માનનાર ગાંધીજીનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ગાંધીજી કુપોષીત હોવાનું જાણવા મળ્યુ છે.
1925, 1936 અને 1944માં તેઓ મેલેરિયાનો શિકાર થયા હતા
ગાંધીજીનું વજન માત્ર 46.7 કિલો અને ઊંચાઇ 5 ફૂટ 5 ઈંચ હતી
1913થી 1948 દરમિયાન જ 79000 કિમી ચાલ્યા હતા
મહાત્મા ગાંધીજીનો જીવન એ જ એમનો સંદેશ છે. તેમનું જીવન ઘણુ વિવિધતા સભર રહ્યુ છે ત્યારે તેમની 150મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે એવામાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૌપ્રથમ વખત ગાંધીજીનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
શું છે રિપોર્ટમાં
1939ના રેકોર્ડ પ્રમાણે ગાંધીજીનું વજન માત્ર 46.7 કિલો અને ઊંચાઇ 5 ફૂટ 5 ઈંચ હતી. તેમનો BMS(બોડી માસ ઈન્ડેક્સ) - 17.1 હતો જે તેમને કુપોષણના વર્ગમાં મૂકી શકાય તેવો હતો.
કુપોષણને લીધે માંદગી કરતી હતી હૂમલો
કુપોષણને કારણે ગાંધીજીની રોગ પ્રતિકારક શક્તિ ચિંતાજનક રીતે ઓછી હતી જેને કારણે 1925, 1936 અને 1944માં તેઓ મેલેરિયાનો શિકાર થયા હતા.
આહાર-વિહારના પ્રયોગો અને લાંબા અરસાના ઉપવાસોને લીધે તેમનું આરોગ્ય એકદમ નબળુ હતુ. ઘણીવાર તે મોતના મુખમાંથી પાછા ફર્યા હતા.
ગાંધીજીને 'સ્લાઇટ માયોકાડટિસ' હતુ
1937થી 1940 દરમિયાન ગાંધીજીનો ઈસીજી - કાર્ડિયોગ્રામના રેકોર્ડ પણ ઉપલબ્ધ છે જેનો અભ્યાસ કરતા જોવા મળ્યું છે કે તેમનું હૃદય સામાન્ય રીતે કાર્યરત હતું પણ અમુક સમયાંતરે તેમના કાર્ડિયોગ્રામમાં લયબદ્ધતા જોવા નહતી મળતી, જેને તબીબી પરિભાષામાં 'સ્લાઇટ માયોકાડટિસ' કહેવાય જે તેમની વય જોતા ચિંતાજનક નહોતી મનાતી.
હાઈ બ્લડ પ્રેશરની પણ હતી બીમારી
તબીબોના મતે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે છેક 1927થી તેમને હાઇ બ્લડ પ્રેશરની બીમારી હતી.19 ફેબુ્રઆરી, 1940ના રોજ તેમનું બ્લડ પ્રેશર માપતા તે220/210 આવ્યું હતું. આવી સ્થિતિમાં વ્યક્તિને ત્વરીત જ હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હોય છે. ગાંધીજી આટલા વર્ષોથી બ્લડ પ્રેશર છતાં કઇ રીતે અસાધારણ શારીરિક શ્રમ, તનાવને નજીક ફરકવા દીધા સિવાય મનની આ હદે સ્વસ્થ અને શાંત ચિત્ત કેળવી શકતા હતા તે તબીબી કોયડો જ કહી શકાય.
શું હતુ તેમની તંદુરસ્તીનું રાજ
આટ આટલી બિમારી છતાં ગાંધીજીની તંદુરસ્તીનું રાજ તેમની દિનચર્યા હતી. તે માત્ર 1913થી 1948 દરમિયાન જ 79000 કિમી ચાલ્યા હતા. રોજનું 18 કિલોમીટર ચાલતા હતા વળી તે પોતે બ્લડપ્રેશરને કાબુમાં રાખવા સર્પગંધાના ત્રણ ટીપા રોજ લેતા અને હંમેશા બકરીનું જ દૂધ પીતા. એલોપેથીની દવા ન લેતા અને કુદરતી ઉપચાર તેમજ આયુર્વેદીક દવાઓજ લેતા.
ગાંધીજીનો ક્લે બાથનો કોન્સેપ્ટ
તે રોજ માટી અને પાણીથી નહાતા હતા. જો કે હજુ ઘણા વડિલો ગામડાઓમાં માટી અને પાણીથી નહાય છે. હમણા લેટેસ્ટમાં કલે બાથ અને ક્લે શેમ્પુની જાહેરાત આવે છે ગાંધીજી એ વખતે ક્લેથી નહાતા હતા.