નવસારીના દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ કમિટી અને મિનીસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા 15 એકરમાં પ્રોજેક્ટ તૈયાર કરાશે. જેમા 24 ગામોની ઝાંખીઓ મહાત્મા ગાંધીની 18 ઉંચી પ્રતિમા અને 80 સ્વતંત્ર સેનાનીની પ્રતિમાઓ મુકવામાં આવશે.
જેના માટે 40 મીટરની ઉંચાઈએ ક્રિસ્ટલ અને લેઝર લાઈટ દ્વારા હાઈલાઈટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનુ લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં આ પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે.
પીએમ મોદીના હસ્તે લોકાર્પણ પહેલા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ બન્યા બાદ દાંડી વધુ ચમકીલું બનશે અને ગ્રામજનોને રોજગારીની વધુ તક મળશે.
ઉલ્લેખનીય છે કે આઝાદીનુ પ્રવેશદ્વાર ગણાતા ગાંધીના દાંડીમાં આઝાદીની ચળવળને યાદ કરીને ઐતિહાસિક લડતનું સાક્ષી એવું દાંડીગામ અત્યારે પણ ગાંધીમુલ્યોનું જતન કરી રહ્યુ છે.
અંગ્રેજો સામે અહિંસક લડતનું રણશિંગું અહીંથી ફૂકયું હતું એવી ઐતિહાસિક ઘટનાને દાંડી ગામના જન-માનસમાંથી આજ સુધી ભુલાતી નથી. ગાંધીબાપુએ ૬ અપ્રિલે સવારે ૬-૩૦ વાગ્યે અંગ્રેજોએ લાદેલો મીઠાના કાયદાનો સવિનય ભંગ કરીને અગ્રેજી સલ્તનતને હચમચાવી મૂકી હતી.