દેશ અને દુનિયાના કરોડો લોકોને પ્રભાવિત કરનાર મહાત્મા ગાંધીની અસરથી પીએમ મોદી પણ બાકાત રહી શક્યા નથી તે વાતનું આજે પ્રમાણ મળ્યું છે.
ગાંધી જયંતિના અવસરે સામે આવી પીએમ મોદીની પર્સનલ ડાયરી
પીએમ નાનપણથી બાપુના રહ્યાં છે પરમ ભક્ત
પહેલી વાર સીએમના શપથ લેતી વખતે બાપુની પ્રતિમાને કર્યાં હતા વંદન
દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત બનનાર લોકોની ખોટ નથી. આજે લાખો લોકો બાપુના વિચારોથી પ્રેરિત છે. પીએમ મોદી પણ બાપુના વિચારોથી પ્રભાવિત થયા વગર રહી શક્યા નથી તે વાતની તો આજે ખબર પડી.
"The only real, dignified, human doctrine is the greatest good of all"
A quote by #MahatmaGandhi penned by a young Modi, the public welfare schemes of whom continue to echo the Mahatma's idea - Sabka Saath, Sabka Vikas.
પીએમ મોદીની પર્શનલ ડાયરીના કેટલાક પાના બહાર આવ્યાં
ગાંધી જયંતિના અવસરે પીએમ મોદીની પર્શનલ ડાયરીના કેટલાક પાના બહાર આવ્યાં છે જેની પરથી ખબર પડે છે કે પીએમ તો છેક બાળપણથી બાપુના વિચારોને આત્મસાત કરી રહેલા જણાતા હતા.
અંગત ડાયરીમાં બાપુના વિચારો
પર્સનલ ડાયરીમાં પીએમ મોદીએ ગાંધીનો વિચાર પોતાના હસ્તાક્ષરમાં લખ્યો હતો. મહાત્મા ગાંધી માનતા હતા કે વિકાસનું લક્ષ્ય માનવીને સુખી કરવાનું હોવું જોઈએ. તેઓ સમૃદ્ધિની આવી આધુનિક વિચારસરણીમાં માનતા ન હતા, જેમાં ભૌતિક વિકાસને પ્રગતિનો મૂળભૂત માપદંડ માનવામાં આવે છે. તેઓ બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદય એટલે કે સર્વોદયના સિદ્ધાંતોમાં માનતા હતા.
સરકારી યોજનામાં ગાંધીજીના સર્વોદયના સિદ્ધાંતોની છાપ
પીએમ મોદીએ સરકારી યોજનાઓમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ'નો સિદ્ધાંત અમલમાં મૂક્યો ત્યારે તેમાં ગાંધીજીના બહુજન સુખાય-બહુજન હિતાય અને સર્વોદયના સિદ્ધાંતોની છાપ હતી.
On #GandhiJayanti, here's the video that defined Modi's public policy journey - the philosophy of Jan Bhagidari.#MahatmaGandhi united people in their desire for freedom, through Jan Bhagidari. Modi calls for a similar movement for development.
પહેલી વાર સીએમ બનતા પહેલા ગાંધીજીની તસવીરને વંદન કર્યાં
નરેન્દ્ર મોદીનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. મહેનત અને લગનથી તેમણે રાજનીતિ અને સેવાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. 2001માં તેઓ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. શપથવિધિ માટે તેઓ સચિવાલય જવાના હતા. પીએમ મોદી તૈયાર થઈને મહાત્મા ગાંધીની તસવીર પાસે ઉભા રહી ગયા. તેઓ પહેલીવાર કોઈ રાજ્યનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યાં હતા અને ત્યાર બાદ શપથ માટે ગયા હતા.