છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રૂપિયામાં ઘણા ફેરફાર થયા છે. ભારતીય રૂપિયાના રંગ આકારમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે.
કેટલીક નોટો બંધ થઇ ગઇ તો કેટલીક નોટો નવી આવી છે. ભારતીય નોટોમાં ભલે જ ગમે તેવા ફેરફાર થયા હોય પરંતુ એક વાત જે ક્યારેય બદલાઇ નથી એ છે મહાત્મા ગાંધીનો ફોટો. શરૂઆતથી લઇને અત્યાર સુધી ભારતીય કરન્સીમાં નોટ મહાત્મા ગાંધીના ફોટામાં કોઇ ફેરફાર થયો નથી. તો આજે જણાવીએ આ પાછળની પૂરી કહાની.
ભારતીય રૂપિયા પર સૌથી પહેલા મહાત્મા ગાંધીનો ફોટો વર્ષ 1969માં છાપવામાં આવ્યો. એ જ વર્ષે ગાંધી જીની જન્મ શતાબ્દી હતી. આ વર્ષે છાપી ગયેલી નોટો પર ગાંધી જી ના ફોટા પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને એલકે ઝા RBIના ગવર્નર હતા. વર્ષ 1987માં પહેલી વખત દેશમાં 500 રૂપિયાની નોટ જારી થઇ જેની પર ગાંધી જી નો ફોટો છાપેલો હતો.
પહેલી વખત 1993માં આરબીઆઇએ તમામ મોટો પર મહાત્મા ગાંધીનો ફોટો છાપવાની ભલમાણ કરી હતી ત્યારબાદ 1996માં તમામ નોટો પર ગાંધી સીરિઝનો ફોટો છાપવાનું શરૂ થઇ ગયું. ત્યારથી લઇને અત્યાર સુધી માઊ એક અને બે રૂપિયાની નોટ છોડીને તમામ મોટો પર ગાંધી જી નો ફોટો છાપવામાં આવે છે.
ગાંધી જી નો જે ફોટો તમે ભારતીય નોટો પર જુવો છો એને કલકત્તામાં વર્ષ 1946માં લેવામાં આવ્યા હતો. એ વખતે ગાંધી જી બ્રિટિશ સચિવ ફેડરિક લોરેન્સને મળવા કલકત્તા પહોંચ્યા હતા. એ જ ફોટો ભારતીય નોટો પર છાપવામાં આવ્યો.