રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જયંતિ છે. આ અવસરે પીએમ મોદી શુક્રવારે વહેલી સવારે શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા. પીએમ મોદીએ અહીં મહાત્માને નમન કર્યા. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે અહીં જયંતિના અવસરે ભજનનો કાર્યક્રમ પણ રખાયો હતો.
આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરતાં બાપુને નમન કર્યા અને લખ્યું કે અમે ગાંધી જયંતિના અવસરે બાપૂને નમન કરીએ છીએ. તેમના જીવન અને મહાન વિચારોથી શીખવાનું ઘણું છે. બાપૂના આદર્શ આપણને સમૃદ્ધ અને કરુણ ભારત બનાવવામાં માર્ગદર્શન આપશે. આ સિવાય પીએમ મોદીએ વિજય ઘાટ પર પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. તેમની આજે 116મી જયંતિ છે. આ સમયે પીએમએ તેમને પણ નમન કર્યા.
We bow to beloved Bapu on Gandhi Jayanti.
There is much to learn from his life and noble thoughts.
May Bapu’s ideals keep guiding us in creating a prosperous and compassionate India. pic.twitter.com/wCe4DkU9aI
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીને કર્યા નમન
રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું કે ગાંધી જયંતિના દિવસે કૃતજ્ઞ રાષ્ટ્રની તરફથી રાષ્ટ્રપિતા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પિત કરું છું. સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ સમાજમામં સમરસતા અને સૌહાર્દનો સંચાર કરીને સમસ્ત વિશ્વના કલ્યાણમના માર્ગને પ્રશસ્ત કરે છે. તે સંપૂર્ણ માનવતાના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. ગાંધી જયંતિના પુનિત અવસરે અમે સૌ પુનઃ સંકલ્પ લઈએ કે અમે સત્ય અને અહિંસાના માર્ગનું અનુસરણ કરીશુ અને રાષ્ટ્રના કલ્યાણ અને પ્રગતિ માટે સદૈવ સમર્પિત રહીશું. એક સ્વચ્છ, સમૃદ્ધ અને સમાવેશી ભારતનું નિર્માણ કરવાના ગાંધીજીના સપનાને સાકાર કરીશું.
गांधी जयंती के दिन, कृतज्ञ राष्ट्र की ओर से राष्ट्रपिता महात्मा गांधी को श्रद्धा-सुमन अर्पित करता हूं।सत्य,अहिंसा और प्रेम का उनका संदेश समाज में समरसता और सौहार्द का संचार करके समस्त विश्व के कल्याण का मार्ग प्रशस्त करता है: राष्ट्रपति राम नाथ कोविंद (फाइल तस्वीर) pic.twitter.com/n9P8uOj3SM
ગૃહમંત્રી શાહે પણ કર્યા નમન
તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે ગાંધીજીના અસાધારણ વ્યક્તિત્વ અને સાધનાપૂર્ણ જીવને વિશ્વને શાંતિ, અહિંસા અને સદ્ભાવનો માર્ગ બતાવ્યો છે. સ્વદેશીના ઉપયોગને વધારવા માટે તેમના સપના પૂરા કરવા આજે દેશ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે સ્વદેશીનો માર્ગ અપનાવી રહ્યો છે. ગાંધી જયંતિ પર તેમને કોટિ કોટિ નમન.
गांधी जी के असाधारण व्यक्तित्व व साधनापूर्ण जीवन ने विश्व को शांति, अहिंसा और सद्भाव का मार्ग दिखाया।
स्वदेशी के उपयोग को बढ़ाने के उनके स्वप्न को पूर्ण करने के लिए आज पूरा देश मोदी जी के आत्मनिर्भर भारत के संकल्प के साथ स्वदेशी को अपना रहा है।