આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ મનાવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ, PM મોદી, ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી.
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ આજે
રાષ્ટ્રપતિ , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ
રાહુલ ગાંધીએ બાપુને યાદ કરી કર્યું ટ્વિટ
દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ મનાવામાં આવી રહી છે. જેને રાજઘાટ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી ડોકટર મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત દિગ્ગજોએ રાજઘાટ જઇ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
"We should adhere to his (Mahatma Gandhi) ideals of peace, non-violence, simplicity, purity of means and humility," tweets President Ram Nath Kovind paying tribute to Mahatma Gandhi on his death anniversary pic.twitter.com/Or83S6U6MY
આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીને ટ્વિટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી. બાપુને યાદ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું, તેમણે કોઇપણ શર્ત વગર બીજાને પ્રેમ કરવાનો મંત્ર શીખવાડ્યો છે.
#WATCH Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Raj Ghat, Delhi on his death anniversary. pic.twitter.com/xmfThc5jeL
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર મહાત્મા ગાંધીને યાદ કરતા શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું, 'રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પૂણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન. પૂજ્ય બાપુના વ્યક્તિત્વ, વિચાર અને આદર્શ આપણને સશક્ત, સક્ષમ અને સમૃદ્ધ ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટે પ્રેરિત કરે છે.'
“I cannot teach you violence, as I do not believe in it. I can only teach you not to bow your heads before anyone, even at the cost of your life.”
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પણ મહાત્મા ગાંધીને યાદ કર્યા અને તેમના કહેલા શબ્દો લખ્યાં, હું તમને હિંસા નહીં શિખવાડી શકુ, કારણ કે હું તેમાં વિશ્વાસ કરતો નથી. હું માત્ર તમને શિખવાડી શકુ છું કે કોઇપણની સામે તમે માથું ના ઝુકાવશો, ત્યાં સુધી કે તમારા જીવની કિંમત પર પણ નહી.
“I cannot teach you violence, as I do not believe in it. I can only teach you not to bow your heads before anyone, even at the cost of your life.”
ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે લખ્યું કે મહાત્મા ગાંધીના વિચાર આજે પણ તેટલા શાશ્વત છે જેટલા દાયકાઓ પહેલા હતા. તેમણે માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવા પ્રેરિત કર્યા. સ્વચ્છ ભારતના ગાંધીજીના સપનાને સાકાર કરવાનું કામ આજે પ્રધાનમંત્રી મોદીએ કર્યું.