આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. આજ દિવસે દેશનાં મોટા પાયે CAAનો વિરોધ પ્રદર્શન થશે. જામિયાના વિદ્યાર્થીઓએ રાજધાટ સુધી માર્ચ કાઢવાની વાત કરી છે. જોકે પોલીસની પરવાનગી મળી નથી. જોકે આજે દેશભરમાં અલગ અલગ લોકો દ્વારા CAAનો વિરોધ કરવામાં આવશે.
આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે
દેશભરમાં CAAની વિરુદ્ધમાં પ્રદર્શન થઈ રહ્યા છે
રાજઘાટ પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માનવ શ્રૃંખલા બનાવશે.
આજ દિવસે વર્ષ 1948માં નાથુરામ ગોડસે ગાંધીજીને ગોળી મારી હતી. ત્યારે ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવાનાં બહાને CAAની વિરોધમાં પ્રદર્શન કરવાની મનસા સાથે અનેક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ગાંધીના નામ પર CAAની વિરુધ્ધમાં મોટો વિરોધ ગુરુવારે રાજઘાટ પર થશે. અહીં માનવ શ્રૃંખલા બનાવવામાં આવશે. આ ઉપરાંત જામિયાથી રાજઘાટ સુધી માર્ચ કાઢવામાં આવશે.
On the death anniversary of #MahatmaGandhi we celebrate Martyrs’ Day to honour the sacrifices made by him and countless other brave Indians.
It is a day ripe to remember the ideals that these valiant souls sacrificed their lives for- Justice, Liberty, Equality and Fraternity. pic.twitter.com/eXYSQIKnRN
જન એકતા જન અધિકારીની આગેવાનીમાં કુલ 109 સંગઠન રાજઘાટથી શાંતિ વનથી રાજઘાટ સુધી માર્ચ કાઢશે. આ માર્ચ હનુમાન મંદિર, લાલ કિલ્લા, જામા મસ્જિદ અને દિલ્હી ગેટથી થઈ રાજઘાટ પહોંચશે. જો કે દિલ્હી પોલીસે તેની પરવાનગી આપી નથી. તમામ પ્રદર્શનકારીઓને પોલીસે બસમાં રાજઘાટ જવાની સલાહ આપી છે.
જે સમયે ગાંધીજીની હત્યા કરાઈ એજ સમયે પ્રદર્શન
CAA વિરોધ માર્ચ ઉપરાંત લગભગ 60 સ્ટૂડેન્ટ યૂનિયન આજે રાજઘાટ સુધી માનવ શ્રૃંખલા બનાવશે. આ શ્રૃંખલા સાંજે 5.10 થી 5.17 સુધી બનાવવામાં આવશે. આ સમયે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ યશવંત સિન્હાની ગાંધી શાંતિ યાત્રા પણ આજે રાજઘાટ પર પુરી થશે.