સુરતના ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું 94 વર્ષની જેફવયે ગ્લોબલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તેઓ ઘરમાં પડી ગયા હતા. સાતેક દિવસથી તબિયત ખરાબ હતી. જેમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું.
કોણ હતા ડો. શિવાલક્ષ્મી?
કેમ હોસ્પિટલાઈઝ હતા ડો. શિવાલક્ષ્મી
કનુભાઈ 4 વર્ષ પહેલા અવસાન પામ્યા હતા
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધીનું ગુરુવારે રાત્રિએ 10.15 કલાકે સુરતમાં હોસ્પિટલના બિછાને અવસાન થયું હતું. તેમને શુક્રવારે બપોરે 11 કલાકે ઉમરા સ્થિત સ્મશાનગૃહમાં અગ્નિદાહ અપાશે. તેમના નિધનથી ગાંધીવાદીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. છેલ્લા બે વર્ષથી બીમરાડમાં રહેતા 94 વર્ષીય ડો. શિવાલક્ષ્મી ગાંધી છેલ્લા 7 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. 4 વર્ષ પહેલા મહાત્માગાંધીનાં પૌત્ર અને ડો.શિવાલક્ષ્મી ગાંધીના પતિ કનુભાઈ ગાંધીએ પણ સુરતમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
કોણ હતા ડો. શિવાલક્ષ્મી?
ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસને બે દીકરીઓ સુમિત્રાબેન અને ઉષાબેન ઉપરાંત એક દીકરો કનુભાઈ હતા. કનુભાઈના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. 2013માં કનુભાઈ શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નથી. શરૂઆતમાં દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા બાદ 2014માં કનુભાઈ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા.
કેમ હોસ્પિટલાઈઝ હતા ડો. શિવાલક્ષ્મી
ડો. શિવાલક્ષ્મી ગાંધી છેલ્લા 7 દિવસથી પીપલોદ પર આવેલી હોસ્પિટલમાં દાખલ હતાં. અઢી મહિના પહેલાં તેઓ ઘરમાં પડી ગયાં હતાં. તે સમયે થાપાના ભાગે વાગવાની સાથે જ શરીર કમજોર થઈ ગયું હતું. ત્યારબાદ ખોરાક બંધ કરી દીધો હતો. નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
કનુભાઈ 4 વર્ષ પહેલા અવસાન પામ્યા હતા
ડો. શિવાલક્ષ્મીના પતિ અને ગાંધીબાપુના પૌત્ર કનુભાઈ ગાંધીએ 4 વર્ષ પહેલા સુરતમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ ડો. શિવાલક્ષ્મી થોડા સમય દિલ્હી રહ્યા બાદ ફરી સુરત પરત ફર્યા હતાં. ડો. શિવાલક્ષ્મી ઈંગ્લેન્ડમાં ઉછર્યા છે, કનુભાઈ અમેરિકામાં અભ્યાસ બાદ નાસાના વૈજ્ઞાનિક બન્યા હતા. ત્યાંજ ડો. શિવાલક્ષ્મી પણ પ્રોફેસર હતાં. 2014માં કનુભાઈ અને ડો.શિવાલક્ષ્મી અમેરિકાથી ભારત પરત ફર્યા હતા.
દાંડીની ગાંધીજીના જીવનમાં છે મહત્વની ભૂમિકા
ગાંધીબાપુના પરિવારનો સુરત અને ભીમરાડ ગામ સાથે અનોખો સંબંધ છે. ગાંધીબાપુએ દાંડીના મીઠાના સત્યાગ્રહ બાદ સુરતમાં ભીમરાડ ખાતે પ્રથમ સભા સંબોધી હતી. આજ ભીમરાડ ગામમાં તેમના પૌત્રવધૂ ડો.શિવાલક્ષ્મી ગાંધીનું ગુરુવારે નિધન થયું હતું. ડો. શિવાલક્ષ્મી ગાંધી છેલ્લા બે વર્ષથી સુરતમાં ભીમરાડમાં રહેતાં હતા. ભીમરાડ ગામે ગાંધી આશ્રમમાં યુવાધનને સત્યાધુનિક સુવિધાસંપન્ન આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ અને કેળવણી મળે એ હેતુથી ડો. શિવાલક્ષ્મી ગાંધી સતત કાર્યશીલ હતાં.