આજથી કોંગ્રેસ રાજ્યના બે અલગ-અલગ ભાગમાંથી ગાંધી સંદેશ યાત્રા યોજવા જઈ રહી છે. જે યાત્રા આગામી 2 ઓક્ટોબરે એટલે કે, ગાંધી જયંતિના દિવસે પુરી થશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પોરબંદરથી સાબરમતી અને દાંડીથી સાબરમતિ સુધી નિકાળવામાં આવશે.
પોરબંદર અને દાંડીથી ગાંધી સંદેશ યાત્રીની શરૂઆત
પોરબંદરના કિર્તીમંદિરથી સાબરમતી આશ્રમ સુધી યાત્રા
દાંડીથી લઈને અમદાવાદના સાબરમતી આશ્રમ સુધી યાત્રા
સંદેશ યાત્રા ગાંધી જયંતિના દિવસે સાબમતિ પહોંચશે
આજથી કોંગ્રેસ દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવી રહેલી ગાંધી સંદેશયાત્રા ગાંધી જયંતિના દિવસે સાબરમતી પહોંચશે. આ યાત્રાનો પ્રારંભ આજે પોરબંદર અને દાંડી ખાતેથી કરવામાં આવશે. આ દિવસે કોંગ્રેસ રાજ્યભરમાં 100થી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત "ગાંધી સંદેશ યાત્રા" માં સૌ જોડાઈને ગાંધીજીની સત્ય,અહિંસાની વિચારધારાને જન જન સુધી પહોંચડીએ.
તારીખ 27/09/2019 થી 02/10/2019
દાંડી થી સાબરમતી, પોરબંદર થી સાબરમતી pic.twitter.com/4dtyMH0RHW
મહત્વનું છે કે, કોંગ્રેસે આ યાત્રાને નામ તો ગાંધી સંદેશ યાત્રા આપ્યું છે, પરંતુ યાત્રા દરમિયાન કોંગ્રેસ સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પણ નોંધાવશે. ખાસ કરીને 1 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહેલા નવા મોટર વ્હીકલ એક્ટના તોતિંગ દંડનો વિરોધ નોંધાવશે. આમ હવે જોવાનું એ રહ્યું કે, રાજ્યમાંથી સમેટાતી જઈ રહેલ કોંગ્રેસ આ યાત્રા દ્વારા ફરી જનતા વચ્ચે પહોંચવામાં સફળ રહે છે કે નહીં.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ યાત્રા પર કહ્યું
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ યાત્રાને લઇને કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી પર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો હેતુ સત્ય, અહિંસા, સામાજિક સદ્દભાવના, ગાંધીજીના મૂલ્યો અને વિચારોને આ યાત્રા દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.