ગણેશ ઉત્સવની શરુઆત થઇ ચુકી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્ય અને સમગ્ર દેશમાં વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા ગણપતિના મંદિર સહિત અમદાવાદ જીલ્લામાં અને તેની બહાર પણ ગણપતિના અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જેમાં હજારો શ્રધ્ધાળુઓ આજે દર્શન કરવા માટે આજે આપડે વાત કરવા જઇ રહ્યા છે એક એવા ગણેશ મંદિરની કે જેને મહાત્માનું નામ આપવામાં આવ્યુ છે.
મહાત્મા ગણપતિ મંદિર અમદાવાદના ગાંધી આશ્રમના ગેટની સામે આવેલુ છે જે લોકો માટે આસ્થાનું પ્રતિક બની ગયુ છે. એક દાયકાથી બનેલા આ મંદિરને મહાત્મા ગણપતિ મંદિરનું નામ આપવામાં આવ્યુ છે. અમદાવાદનું જોવા લાયક સ્થળ એટલે સાબરમતી નદી કિનારે આવેલુ ગાંધી આશ્રમ જ્યા રોજ દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. પ્રવાસીઓ ખાલી ગાંધી આશ્રમની મુલાકાત નથી લેતા પરંતુ તેની સામે આવેલા મહાત્મા ગણપતી મંદિરની પણ મુલાકાત લઇ રહ્યા છે. દેવો ના દેવ મહાદેવના પુત્ર ગણપતિને અમદાવાદમાં મહાત્માનુ બીરુદ આપવામાં આવ્યુ છે.
શહેરમાં ગણપતિ ના અસંખ્ય મદિર છે દરેક મંદિરો અલગ અલગ નામે જાણીતા થયા છે ત્યારે હવે આ મંદિરને મહાત્મા ગણપતિનું બીરુદ આપવામાં આવ્યુ છે. પીપળાના ઝાડ નમી પડતા ગણપતીની મુર્તી ખંડીત થઇ હતી.
મહાત્મા ગાંધીજીની જેમ મહાત્મા ગણપતિજીઃ હેમંત ચૌહાણ
મંદિરની સ્થાપના કરનાર હેમત ચૌહાણે જણાવ્યુ છે કે ગાંધીઆશ્રમ ગેટની સામે રસ્તા વચ્ચોવચ એક પીપળાનું ઝાડ હતું જેની નીચે વર્ષોથી એક ગણપતીની મૃર્તિ હતી. અંદાજીત એક દાયકા પહેલા ઝાડ નમી પડતા મુર્તિ ખંડીત થઇ હતી. મુર્તિની ફરીથી સ્થાપના કરવા માટે વિવાદ સર્જાયો હતો જેના કારણે આશ્રમના ગેટની સામે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. નાની ડેરી બનાવીને ગણપતિની મુર્તિ સ્થાપના કરવામાં આવી હતી જેને મહાત્મા ગણપતિ મંદિરનું નામ આપવા આવ્યુ છે.
ગાંધીજીને મહાત્માનું બીરુદ મળતા સ્થાનિકોએ ગણેશને પણ મહાત્મા બનાવ્યા અંગ્રેજો સામે લઇને દેશને આઝાદી આપવાનાર ગાંધીજીને મહાત્માનુ બીરુદ આપવામાં આવ્યુ છે. જ્યારે ગણપતિની મુર્તિની સ્થાપના કરવામાં આવી ત્યારે વિધ્નહર્તાએ ધણા લોકોના દુ:ખ દુર કર્યા હતા જેના કારણે લોકોમાં શ્રધ્ધા વધતા તેમને મહાત્માનું બીરુદ આપવામાં આવ્યુ છે.
વિદેશી નાગરિકો પણ શીશ ઝુકાવે છે
મહારાષ્ટ્રના રહેવાસીઓ અને વિદેશી નાગરિકો પણ પોતાનું શીશ ઝુકાવે છે. ગાંધી આશ્રમમાં હજારો પર્યટકો આવે છે તેમા પણ ખાસ કરીને વિદેશી નાગરિકો વધુ આવે છે. જે લોકોને આશ્રમની મુલાકાતે આવે છે તે લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે જરુર આવે છે.