જ્યોતિષીઓનું કહેવું છે કે મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ વખતે મહાશિવરાત્રિ પર એક અદ્ભુત ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે.
શનિ-સૂર્ય સિવાય ચંદ્રમા પણ કુંભ રાશિમાં થશે બિરાજમાન
મહાશિવરાત્રિ પર આ ત્રિગ્રહી યોગનું મિલન દુર્લભ
કુંભ રાશિ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે
Mahashivratri Trigrahi Yog 2023: ભગવાન શિવનો તહેવાર મહાશિવરાત્રિ આવી રહી છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે શિવ-પાર્વતીના લગ્ન થયા હતા. ત્યારથી ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રિના તહેવારની ઉજવણી કરવાની પરંપરા ચાલી રહી છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીના દિવસે શનિવારે ઉજવવામાં આવશે. જ્યોતિષીઓનું કહેવું છે કે મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ વખતે મહાશિવરાત્રિ પર એક અદ્ભુત ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે.
મહાશિવરાત્રિ પર ત્રિગ્રહી યોગ
17 જાન્યુઆરી 2023ના ન્યાયદેવ શનિ કુંભ રાશિમાં બિરાજમાન થયા હતા. હવે 13 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરવાના છે. 18 ફેબ્રુઆરીએ શનિ અને સૂર્ય સિવાય ચંદ્રમાં પણ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. પરિણામસ્વરુપ કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને ચંદ્રમા મળી ત્રિગ્રહી યોગનું નિર્માણ કરશે. મહાશિવરાત્રિ પર આ ત્રિગ્રહી યોગનું મિલન દુર્લભ, પંરતુ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
મેષ રાશિ
ભગવાન શિવની મેષ રાશિના લોકો પર હંમેશા વિશેષ કૃપા રહે છે. જ્યોતિષીઓનું માનીએ તો ભગવાન શિવની સૌથી પ્રિય રાશિઓમાંથી એક છે. આ મહાશિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનની દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. આ પવિત્ર તહેવાર પર ભગવાન શિવની ઉપાસના અને જળાભિષેકથી અવરોધમાં રહેલા કામો પૂર્ણ થવા લાગશે.
વૃશ્ચિક રાશિ
મેષ રાશિના જાતકોની જેમ વૃશ્ચિક રાશિના લોકો પર પણ ભોલેનાથની વિશેષ કૃપા બની રહે છે. આ રાશિનો સ્વામી મંગળ છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી તમારા માટે સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે. આ વખતે શિવરાત્રિ પર મહાદેવની પૂજા કરવાથી તમારા અજ્ઞાત ભય સમાપ્ત થઈ શકે છે. ભય આપણા માનસિક સ્વાસ્થ્યને પડકારે છે. જ્યારે તે દૂર થવા લાગશે તો નિશ્ચિત તમે પોતે ઊર્જાથી ભરપૂર અનુભવ મહેસૂસ કરશો.
મકર રાશિ
મકર રાશિના સ્વામી સ્વયં શનિ દેવ છે. શનિદેવ ભગવાન શિવના પરમ ભક્ત અને સૂર્ય પુત્ર છે. ચંદ્ર અને સૂર્ય સાથે શનિનો સંયોગ મહાશિવરાત્રિ પર મકર રાશિના જાતકોને શુભ પરિણામ આપવાનું છે. તમારી સંપત્તિ અને વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે. ઘર પરિવારમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. સંતાન પક્ષ તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. મહાશિવરાત્રી પછી પણ નિયમિત રીતે ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખો.
કુંભ રાશિ
મકરની જેમ જ કુંભ રાશિનો સ્વામી પણ કર્માના દેવતા શનિ છે. મહાશિવરાત્રિનો દિવસ કુંભ રાશિ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરો અને તમારી ક્ષમતા અનુસાર દાન પુણ્ય કરો. આવું કરવાથી તમને ઈચ્છિત પરિણામ મેળવી શકશો. કારકિર્દી, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક મોરચે ખૂબ જ શુભ પરિણામ મેળવી શકો છો. ભગવાન શિવની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.