મહાશિવરાત્રિનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ ઉત્સવનો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.
700 વર્ષ પછી મહાશિવરાત્રી પર બનશે આવો સંયોગ
મહાશિવરાત્રિ પર પ્રદોષ વ્રત સંયોગ
મહાશિવરાત્રિનું ધાર્મિક મહત્વ
માન્યતાઓ અનુસાર શિવલિંગની ઉત્પત્તિ મહાશિવરાત્રી પર થઈ હતી
મહાશિવરાત્રી 2023: બધા જ દેવોમાં મહાદેવ સૌથી વધારે ભોળા છે, એટલે જ મહાદેવના ભક્તો એમને ભોળાનાથ કહીને સંબોધે છે. ભગવાન શિવ શંકર તેમના ભક્તોની મનોકામના તરત જ પૂરી કરી આપે છે. સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ ઉત્સવનો દિવસ છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રિ મનાવવામાં આવે છે.
700 વર્ષ પછી મહાશિવરાત્રી પર બનશે આવો સંયોગ
આવતીકાલે મહાશિવરાત્રી છે. પંચાંગ અનુસાર ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ. આ દિવસ શુભ છે. જેના કારણે શિવ ઉપાસનાનું મહત્વ વધુ વધશે. વાસ્તવમાં, 700 વર્ષ પછી આવો અવસર આવ્યો છે જ્યારે મહાશિવરાત્રી પર પંચ મહાયોગની રચના થઈ રહી છે. એટલા માટે આજે પૂજા સિવાય નવા કાર્યોની ખરીદી અને શરૂઆત કરવી પણ શુભ રહેશે. શિવરાત્રિ પર કેદાર, શંખ, શશ, જ્યેષ્ઠ અને સર્વાર્થસિદ્ધિ યોગ મળીને પંચ મહાયોગ બનાવે છે. છેલ્લા 700 વર્ષમાં આવો સંયોગ બન્યો નથી. આ દિવસે તેર અને ચૌદ બંને તિથિ છે. શાસ્ત્રોમાં આવા સંયોગને શિવ ઉપાસના માટે ખૂબ જ વિશેષ ગણાવવામાં આવ્યા છે.
મહાશિવરાત્રિ પર પ્રદોષ વ્રત સંયોગ
હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ શુભ સંયોગ બનવા જઈ રહી છે. ફેબ્રુઆરી 18, શનિવારે ત્રયોદશી તિથિ છે અને આ તિથિ પર પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. પ્રદોષ વ્રત ભગવાન શિવની પૂજા માટે વિશેષ છે. આ દિવસે ત્રયોદશી તિથિની સમાપ્તિ પછી ચતુર્દશી તિથિનો પ્રારંભ થશે.
મહાશિવરાત્રિનું ધાર્મિક મહત્વ
પૌરાણિક માન્યતાઓ અનુસાર શિવલિંગની ઉત્પત્તિ મહાશિવરાત્રી પર થઈ હતી અને આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માએ સૌપ્રથમ શિવલિંગની પૂજા કરી હતી. મહાશિવરાત્રી પર ભગવાન શિવની વિશેષ પૂજા, ઉપવાસ અને જલાભિષેક કરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર દિવસભર પૂજા કરવાની સાથે રાત્રે ભો ભોલેભંડારીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આવો જાણીએ કે આવતી કાલે મહાશિવરાત્રિનો શુભ સમય અને પૂજાની રીત.
કયા સમયે પૂજા કરવી શુભ રહેશે?
મહાશિવરાત્રી પર આખો દિવસ અને રાત પૂજા કરી શકાય છે. સ્કંદ, શિવ અને લિંગ પુરાણ કહે છે કે તહેવારના નામ પ્રમાણે રાત્રે શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શિવરાત્રી પર આ રીતે કરો પૂજા
મહાશિવરાત્રિ પર શિવભક્તો સવારે સ્નાન કરીને શિવ મંદિરે જાય છે.
પૂજામાં શિવજીને ચંદન, મોલી, પાન, સુપારી, અક્ષત, પંચામૃત, બિલ્વપત્ર, ધતુરા, ફળ-ફૂલ, નારિયેળ વગેરે અર્પણ કરો.
ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા બિલી પત્રથી ચંદન લગાવો અને અર્પણ કરો
'ઓમ નમઃ શિવાય' મંત્રનો શક્ય તેટલો વધુ વખત જાપ કરો.
રાત્રિના ચારેય પ્રહરમાં ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ.
પવિત્ર જળમાં પ્રથમ પ્રહરમાં દૂધ, બીજામાં દહીં, ત્રીજામાં ઘી અને ચોથામાં મધનો સમાવેશ કરવો જોઈએ.
દિવસ દરમિયાન ફળો જ ખાઓ, રાત્રે ઉપવાસ કરો.
શિવરાત્રિ પર શિવની પૂજા સંપૂર્ણ વિધિથી કરવી જોઈએ. જો તમને સમય નથી મળતો અથવા મંદિર જવા માટે અસમર્થ છો, તો તમે કેટલીક જરૂરી વસ્તુઓની સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને ઘરે જ શિવની પૂજા કરી શકો છો. તે મહાપૂજા જેટલું ફળ આપે છે.