બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ક્યારે છે મહાશિવરાત્રિ? આ રીતે દૂર કરો તારીખનું કન્ફ્યુઝન, સાથે શુભ મુહૂર્ત પણ નોટ કરી લો

ધર્મ / ક્યારે છે મહાશિવરાત્રિ? આ રીતે દૂર કરો તારીખનું કન્ફ્યુઝન, સાથે શુભ મુહૂર્ત પણ નોટ કરી લો

Last Updated: 07:46 AM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું સવિશેષ મહત્ત્વ છે. આ દિવસ ભોળાનાથની આરાધના કરનારની મનોકામના પૂરી થાય છે. શિવરાત્રિ દેવાધિદેવ મહાદેવને સમર્પિત છે ત્યારે ચાલો જાણીએ કે મહાશિવરાત્રિ ક્યારે છે?

દર મહિને ચંદ્રમાસનો 14 મો દિવસ અથવા અમાસના એક દિવસ પહેલાનો દિવસ શિવરાત્રી તરીકે ઓળખાય છે. મહાદેવનો સૌથી પ્રિય પર્વ 'મહાશિવરાત્રિ' ફાગણ મહિનામાં મનાવાય છે.

વેદ, પુરાણ અને હિન્દુ ધર્મમાં ભગવાન શિવના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવામાં આવે છે મહાશિવરાત્રિની રાતે ભોલેનાથ શિવલિંગમાં વાસ કરે છે. આ દિવસે કરવામાં આવતી શિવ આરાધના તમામ સંકટોનો નાશ કરે છે. ત્યારે ચાલો જાણીએ કે આ વર્ષે 2025 માં ક્યારે આવશે મહાશિવરાત્રિ, પૂજા મુહૂર્ત વગેરે.

મહાશિવરાત્રિ 2025

આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે ભોળાનાથના ભક્તો ભગવાન શિવ અને આદિશક્તિની દિવ્ય શક્તિઓ એકસાથે આવે છે. મહાશિવરાત્રિથી જોડાયેલી અમુક પૌરાણિક માન્યતાઓ પણ છે.

મહાશિવરાત્રિ મુહૂર્ત

  • નિશિતા કાળ પૂજા સમય: 26 ફેબ્રુઆરી મોડી રાતે 12:09 થી 27 ફેબ્રુઆરી સવારે 12:59 સુધી
  • શિવરાત્રી પારણા સમય: 26 ફેબ્રુઆરી સવારે 06:48 થી 27 ફેબ્રુઆરી સવારે 08:54 સુધી

મહાશિવરાત્રિ 2025 ચાર પ્રહરના મુહૂર્ત

  • ફાગણ કૃષ્ણ ચૌદશ તિથી શરૂ: 26 ફેબ્રુઆરી સવારે 11:08 વાગ્યાથી
  • ફાગણ કૃષ્ણ ચૌદશ તિથી સમાપ્ત : 27 ફેબ્રુઆરી સવારે 08:54 વાગે
  • રાત્રિ પ્રથમ પ્રહર પૂજા: સાંજે 06:19 થી રાતે 09:26
  • રાત્રિ દ્વિતીય પ્રહર પૂજા: રાતે 09:26 થી બપોરે 12:34 ( 27 ફેબ્રુઆરી)
  • રાત્રિ તૃતીય પ્રહર પૂજા: સવારે 12:34 થી સવારે 03:41 ( 27 ફેબ્રુઆરી)
  • રાત્રિ ચતુર્થી પ્રહર પૂજા: સવારે 03:41 થી સવારે 06:48 ( 27 ફેબ્રુઆરી)

મહાશિવરાત્રિની રાતનું મહત્ત્વ

આ રાત્રે, ગ્રહનો ઉત્તર ગોળાર્ધની સ્થિતિ એવી થાય છે કે જે મનુષ્યની અંદરની ઊર્જા કુદરતી રીતે ઉપર તરફ જાય છે. આ એવો દિવસ છે જ્યારે કુદરત માણસને તેના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે.

વધુ વાંચો: જ્યાં વર્ષોથી ભાવિકો ધરાવે છે જલેબીનો પ્રસાદ, જાણો કઇ રીતે હનુમાનજીનું નામ પડ્યું જલેબી દાદા

મહાશિવરાત્રિ ઉજવવાના મુખ્ય 2 ઉદેશ્ય

ગૃહસ્થ જીવન અને સાંસારિક મહત્વાકાંક્ષાઓમાં ડૂબેલા લોકો માટે મહા શિવરાત્રિની ઉજવણીનો હેતુ અલગ છે. પારિવારિક બાબતોમાં વ્યસ્ત લોકો મહાશિવરાત્રિને શિવના લગ્નના તહેવાર તરીકે ઉજવે છે. સાંસારિક મહત્વાકાંક્ષાઓમાં ડૂબેલા લોકો મહાશિવરાત્રિને શિવના શત્રુઓ પર વિજયના દિવસ તરીકે ઉજવે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahashivratri 2025 shivratri muhurt Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ