જ્યોતિષ શાસ્ત્રમાં ફાગણ મહિનામાં આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિના નામથી જાણવામાં આવે છે. આ દિવસે વિધિપૂર્વક મહાદેવ અને માં પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે.
મહાશિવરાત્રિએ મહાદેવ અને માં પાર્વતીની વિધિપૂર્વક કરો પૂજા
બિલીપત્ર ચઢાવતી વખતે આ ભૂલો કરતા મહાદેવ થઇ શકે નારાજ
જાણો, બિલીપત્ર ચઢાવતા પહેલા સાચા નિયમ
મહાશિવરાત્રિએ ભગવાન શિવની પૂજા કરવાથી મનોકામના થાય છે પૂર્ણ
હિન્દુ ધર્મ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિએ મહાશિવરાત્રિનુ પર્વ મનાવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે બિલીપત્રથી પૂજા કરવાનુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે ભગવાન શિવની પૂજા બિલીપત્ર વગર અધૂરી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે.
જો નિયમોનુ પાલન નહીં કરો તો ભગવાન શિવ થશે નારાજ
કહેવાય છે કે પૂજા કરવાથી ભગવાન શિવનુ મસ્તિષ્ક શીતળ રહે છે. કહેવાય છે કે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી 1 કરોડ કન્યાદાનના સામાન જેટલુ પુણ્ય મળે છે. તો બિલીપત્ર ચઢાવતી વખતે જો અમુક નિયમોનુ પાલન ન કરવામાં આવે તો ભગવાન શિવ નારાજ થાય છે. આવો જાણીએ બિલીપત્ર અર્પણ કરવાના નિયમ અને લાભ.
શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી લાભ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી વ્યક્તિને દરિદ્રતામાંથી છૂટકારો મળે છે. આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે અને ધન-ધાન્યમાં વધારો થાય છે.
કહેવાય છે કે ભગવાન શિવની પૂજા દરમ્યાન જે મહિલાઓ બિલીપત્ર શિવલિંગ પર અર્પણ કરે છે તો તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
તમારી કોઈ પણ મનોકામના પૂરી કરવા માટે ભગવાન શિવને બિલીપત્ર પર ચંદનથી રામ અથવા પછી ઓમ નમ: શિવાય લખીને શિવલિંગ પર અર્પણ કરવાથી લાભ થાય છે.
કહેવાય છે કે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી ભોળાનાથની કૃપા રહે છે. આ સાથે વ્યક્તિને બધા સંકટમાંથી છૂટકારો મળે છે.
આ નિયમો સાથે બિલીપત્ર ચઢાવો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમે ભગવાન શિવને ત્રણ મુખવાળુ બિલીપત્ર અર્પણ કરો છો તો ધ્યાન રાખો કે તેમાં કોઈ પણ પ્રકારનો દાગ ના હોવો જોઈએ. કોઈ દાગ હોવાથી બિલીપત્ર અર્પણ ના કરવુ જોઈએ.
કહેવાય છે કે સુકાઈ ગયેલા બિલીપત્ર શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરો.