શિવ ભક્તોનો ખાસ તહેવાર એટલે મહાશિવરાત્રિ. આ વર્ષે મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે દરેક શિવભક્ત ભોલેનાથને ખુશ કરવા માટે અનેક ઉપાયો અજમાવી રહ્યા છે. જો તમે પણ પુણ્ય મેળવવા ઈચ્છો છોતો તમે ભગવાન શિવની પૂજા માટે આ 7 ચીજોની તૈયારીઓ કરી લો તે જરૂરી છે.
મહાશિવરાત્રિએ શિવજીને પ્રસન્ન કરવા કરો આ કામ
પૂજા માટે શિવ ભક્તો કરી લે તૈયારીઓ
ભોલેનાથની પૂજામાં ખાસ છે આ 7 ચીજો
ગંગાજળ
ગંગા ભગવાન વિષ્ણુના ચરણોથી નીકળે છે અને સાથે ભગવાન શિવની જટાથી ધરતી પર ઉતરી છે. દરેક નદીમાં ગંગા પરમ પવિત્ર છે. ગંગા જળથી ભગવાન શિવનો અભિષેક કરવાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે.
ત્રણ પાનનું બિલિપત્ર
ત્રણ પાનનું બિલિપત્ર જે ક્યાંયથી કપાયેલું કે ફાટેલું ન હોય તે શિવજીને ચઢાવો. આ ત્રણ પાનનું બિલિપત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. બિલિપત્ર અર્પણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે એવું પુરાણોમાં કહેવાયું છે.
ભાંગ
ભગવાન શિવે હળાહળ વિષપાન કર્યું તેના ઉપચારને માટે અનેક જડીબુટ્ટીઓનો પ્રયોગ દેવતાઓએ કર્યો તેમાં એક ભાંગ પણ છે. આ માટે ભગવાન શિવને ભાંગ પ્રિય છે. શિવરાત્રિના અવસરે ભાંગના પાન કે ભાંગ પીસીને દૂધ કે પાણીમાં મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો તો રોગ દોષથી મુક્તિ મળે છે.
ધતૂરાના ફૂલ
આ ફૂલ ભગવાન શિવને પ્રિય છે. તેનું કારણ છે કે તે સફેદ હોય છે અને સાથે દવાની રીતે પણ ગુણકારી હોય છે. માનસિક શાંતિને માટે ધતૂરાના પુષ્પને શિવલિંગ પર અર્પિત કરો તે જરૂરી છે. તેનાથી શત્રુનો ભય દૂર થાય છે અને સાથે જ ધન સંબંધી મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે.
ચાંદીના નાગ-નાગિનની પ્રતિમા
ગ્રહોના અશુભ પ્રભાવના કારણે ઘરમાં સુખ શાંતિની અછત રહે છે અને આર્થિક મુશ્કેલીઓ આવે છે. મહાશિવરાત્રિના અવસરે ભગવાન શિવને નાગ-નાગિનની પ્રતિમા સમર્પિત કરવાથી લાભ થઈ શકે છે. કાળસર્પ યોગ અને નાગ દોષ પણ સમાપ્ત થઈ જાય છે.
શેરડીનો રસ
શેરડીનો રસ જીવનમાં મીઠાશ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. પ્રેમના દેવતા કામદેવનું ધનુશ પણ શેરડીથી બન્યું છે. છઠ્ઠ પર્વમાં મૈયા માટે શેરડીનું ઘર બનાવાય છે.માન્યતા છે કે શેરડીનો રસ શિવલિંગ પર ચઢાવવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે.