હિંદુ ધર્મની દરેક પૂજામાં અલગ અલગ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ચીજનું પૂજામાં અલગ જ મહત્વ હોય છે. ભગવાન શિવની પૂજામાં અનેક એવી ચીજો હોય છે જેને ચઢાવવાથી પૂજાનું પુણ્ય નથી મળતું પરંતુ નુકસાન થઈ શકે છે. જો તમે પણ અજાણતાં આવી ભૂલો કરો છો તો તમારે આજથી જ ચેતી જવાની જરૂર છે.
મહાશિવરાત્રિએ ન કરશો આ ભૂલો
શિવજી ક્યારેય ન ચઢાવશો તુલસી
મોટા નુકસાનથી બચવા ધ્યાન રાખી લો આ ખાસ બાબતો
તુલસી ભગવાન શિવની પૂજામાં ક્યારેય ચઢાવવામાં આવતા નથી.
પૂર્વ જન્મમાં તુલસીનું નામ વૃંદા હતું અને તે જાલંધર રાક્ષસની પત્ની હતા. તેમની પર ખૂબ જ દુલ્મ થતાં. વિષ્ણુએ છળથી વૃંદાનો પતિવ્રત ભંગ કર્યું અને સાથે જ વિષ્ણુને શ્રાપ પણ આપ્યો કે તમે પણ પત્થર બની જશો. વિષ્ણુએ તુલસીને કહ્યું કે હું જાલંધરથી તમારો બચાવ કરું છું. હવે હું તમને શ્રાપ આપું છું કે તમે લાકડું બની જાઓ. આ શ્રાપથી વૃંદા કાલાંતર તુલસીનું રૂપ બન્યા.
આ કારણે ભગવાન ભોલેનાથને ચઢાવાય છે બિલિપત્ર
તુલસી શાપિત છે અને શિવજીની પૂજામાં ચઢાવી શકાતા નથી. તે ભગવાન શ્રી હરિની પટરાણી છે અને તુલસીજીએ પોતાની તપસ્યાથી ભગવાન શ્રી હરિને પતિરૂપમાં મેળવ્યા હતા. આ કારણે તુલસીને બદલે શિવજીને બિલિપત્ર ચઢાવવામાં આવે છે.