ભોલેનાથ, શિવજી આવા અનેક નામે પૂજાતા ભગવાન શિવ સરળ પ્રકારની પૂજાથી જ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવ કલ્યાણના દેવતા છે. મનોકામનાઓ પૂરી કરવા માટે શક્તિ શિવલિંગના અભિષેકમાં સમાયેલી છે. ભગવાન શિવ દરેક દુઃખને દૂર કરે છે. જો તમે પણ આ ઉપાયોથી આજે પૂજા કરશો તો તમારા પણ શિવકૃપા વરસી શકે છે.
કલ્યાણના દેવ શિવજીની આ રીતે કરો પૂજા
ભોલેનાથ વરસાવશે તમારા પર અપાર કૃપા
શિવલિંગના અભિષેકમાં ધ્યાન રાખી લો આ વાતો
શિવને અભિષેક પ્રિય છે
શિવલિંગનું પૂજન અભિષેક કરવાથી દરેક દેવી દેવતાઓને ફળ મળી જાય છે. ભગવાન શિવ એવા દેવતા છે જે એક લોટો ગંગાજળ અર્પણ કરવાથી પણ પ્રસન્ન થઈ જાય છે, શિવલિંગ પર અનેક ચીજો કામનાઓ સાથે પણ અર્પણ કરવામાં આવે છે.
વિવાહમાં મુશ્કેલી હોય તો કરો શેરડીના રસનો અભિષેક
જો તમારા વિવાહમાં અડચણ આવી રહી છે તો બાધા દૂર કરવા માટે શેરડીના રસથી શિવજીનો અભિષેક કરો. શિવલિંગને કેસર મિશ્રિત જળથી અભિષેક કરવાથી પણ વિવાહ સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. શિવકૃપાથી દામ્પત્ય જીવન સાથેની સમસ્યાઓ ઝડપથી સમાપ્ત થઈ જાય છે.
ઉધારી દૂર કરવા કરો મધનો અભિષેક
જીવન સાથે કે ઉધારી સાથે જોડાયેલી બાધાઓ દૂર કરવા માટે મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આ અભિષેકથી સાધકના માથા પરથી દરેક પ્રકારની ઉધારી ઉતરી જાય છે. આ સાથે જ પાપથી પણ મુક્તિ મળે છે.
બીમારીથી મુક્તિ મેળવવા કરો આ અભિષેક
બીમારીથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવને ચઢાવવાના પાણીમાં દૂધ અને કાળા તલ મિક્સ કરો. શિવકૃપા સાથે તરત જ સ્વાસ્થ્ય લાભ મળે છે. આ સિવાય શિવલિંગનો કાચા દૂધથી અભિષેક કરવાથી આરોગ્ય અને સંતાન સુખ મળે છે.
ધન મેળવવા કરો આ ઉપાય
ગાયના ઘીથી શિવલિંગનો અભિષેક કરવાથી શિવજીના આર્શિવાદ મળે છે અને સાથે જ ધનમાં વૃદ્ધિ થવાની સાથે આયુ પણ વધે છે. સરસિયાના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે.