ભગવાન ભોળેનાથની પૂજા લિંગ સ્વરૂપમાં થાય છે. શિવજીના મૂર્તિ સ્વરૂપ કરતાં લિંગ સ્વરૂપની પૂજાનું શિવપુરાણમાં વધુ મહત્વ જણાવ્યું છે. ભગવાન શિવ લિંગ સ્વરૂપે સૌપ્રથમ ક્યાં પ્રગટ થયા હતા, આ વિશે શિવપુરાણમાં જણાવ્યા પ્રમાણે, અરૂણાચલ પ્રદેશમાં ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રથમ વખત પ્રગટ થયા હતા. જાણો જાણીએ આ સ્થાન વિશે.
આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ
ભગવાન શિવ લિંગ સ્વરૂપે આ જગ્યાએ પ્રગટ થયા હતા
શિવપુરાણમાં લિંગ સ્વરૂપનું વધુ મહત્વ દર્શાવ્યું છે
અરૂણાચલેશ્વર મહાદેવ
આ તમિલનાડુમાં સ્થિત અરૂણાચલ પ્રદેશમાં અન્નામલાઈ પર્વત પર આવેલું છે. આ પર્વતની પાસે જ ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર છે, જેને અરૂણાચલેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે. મંદિરની પાસે જ પર્વત પર નવેમ્બર અને ડિસેમ્બરની વચ્ચે એક તહેવાર ઉજવવામાં આવે છે. જેને કાર્તિગઈ દીપમના નામથી ઓળખાય છે.
લાખો ભક્ત અહીં દર્શન કરવા આવે છે
આ દિવસે પર્વતની ટોચ પર ઘીનો અગ્નિ પુંજ પ્રગટાવવામાં આવે છે જે શિવ અગ્નિ સ્તંભનો પ્રતિક માનવામાં આવે છે. આ અવસર પર અને મહાશિવરાત્રીએ અહીં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને શિવ કૃપાનો લાભ મેળવે છે.
8 શિવલિંગનો સંબંધ 8 રાશિઓ સાથે
અરુણાચલેશ્વર મંદિરની 8 દિશામાં 8 શિવલિંગો સ્થાપિત છે. જે જુદા જુદા નામોથી ઓળખાય છે અને તેનો સંબંધ અલગ-અલગ રાશિઓ સાથે છે એવું માનવામાં આવે છે. ઇન્દ્રલિંગમ વૃષભ રાશિ સાથે સંબંધિત છે. અગ્નિ લિંગમનો સંબંધ સિંહ રાશિ સાથે છે. યમ લિંગ વૃશ્ચિક રાશિ સાથે, નૈત્રૃત્ય લિંગમનો સંબંધ મેષ સાથે, વરૂણ લિંગમનો મકર અને કુંભ સાથે, વાયુ લિંગમનો કર્ક રાશિ સાથે, કુબેર લિંગમનો ધન અને મીન સાથે, ઈશાન લિંગમનો સંબંધ મિથુન અને કન્યા રાશિ સાથે સંબંધ છે. લોકો તેમની રાશિ અનુસાર ગ્રહોનો દોષ દૂર કરવા માટે અહીં વિશેષ પૂજા કરે છે.
મંદિર સાથે જોડાયેલી છે આ માન્યતા
હિન્દુ પૌરાણિક કથાઓમાં જણાવ્યા પ્રમાણે, એકવાર કૈલાશ પર્વત પર માતા પાર્વતાએ ખેલ-ખેલમાં પોતાના હાથેથી શિવજીની આંખો બંધ કરી દીધી. એ સમયે સમગ્ર બ્રહ્માંડમાં અંધારુ થઈ ગયું હતું. ઘણાં વર્ષો સુધી જગતમાં અંધકાર રહ્યો હતો. જે બાદ માતા પાર્વતીની સાથે અન્ય દેવતાઓએ મળી તપસ્યા કરી અને ત્યારે શિવજી અગ્નિપુંજના સ્વરૂપમાં અન્નામલાઈ પર્વતની આ ટોચ પર પ્રગટ થયા હતા. જેને હવે અરૂણાચલેશ્વર મંદિરના નામથી ઓળખાય છે. ત્યારબાદ શિવજીએ માતા પાર્વતીના શરીરમાં વિલય કરીને અર્ધ્દનારીશ્વરના રૂપમાં દર્શન આપ્યા હતા. અર્ધ્દનારીશ્વરના સ્વરૂપમાં પણ અહીં પહાડો પર શિવજીનું એક મંદિર છે.