જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનું આયોજન અંગે હજુ સુધી કોઈ નિર્ણય ના આવતા સાધુ સંતો ભક્તો અને વેપારીઓ ચિંતામાં
જૂનાગઢમાં ભવનાથનો મેળો યોજવા ઉઠી માગ
નિર્ણય ના આવતાં સંતો, ભક્તોમાં ચિંતા
છેલ્લા 2 વર્ષથી માત્ર સાધુઓ માટે જ યોજાય છે મેળો
જૂનાગઢ માં હજારો વર્ષોથી પરંપરા ગત શિવરાત્રી નો મેળો યોજવામાં આવે છે જે ભાવિ ભક્તિ શ્રદ્ધાથી આ મેળા માં આવે છે નાગા બાવા આ મેળા નું મુખ્ય આકર્ષણ હોય છે ત્યારે છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી ના કારણે આ મેળો માત્ર સાધુ સંતો માટે યોજાય છે ત્યારે આ વર્ષે ભાવિ ભક્તો માટે પણ આ મેળો યોજાય તેવી માંગ ઉઠી છે.કોરોના મહામારી માંથી લોકો હવે હળવા બન્યા છે ત્યારે વર્ષો થી શ્રદ્ધા નું પ્રતીક એવા શિવરાત્રી ના મેળા નું આયોજન વહેલી તકે કરવામાં આવે તેવી માંગ સાધુ સંતો માં માંગ ઉઠી છે
વેપારીઓ પણ મુંઝવણમાં
છેલ્લા 2 વર્ષથી શિવરાત્રીના મેળાનું આયોજન માત્ર સાધુસંતો માટે જ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે હજુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે વેપારી મંડળમાં ગુચવણ ઊભી થઈ છે વેપારીઓને પોતાના માલ નો સ્ટોક કઈ રીતે કરવો અને ખાસ કરી ને ગિરનાર પર્વત પર જેઓ વેપાર કરે છે તેને માલ ઉપર સુધી પહોચાડવાનો હોય છે તો સરકાર દ્વારા નિર્ણય વહેલો લેવા વેપારી મંડળ એ માંગણી કરેલ છે
સરકાર પાસે કોરોનાને લઇ કોઈ નિર્ણય શક્તિ જ ન હોવાનો આરોપ
સરકાર દ્વારા શિવરાત્રી ના મેળા નું આયોજનના થાય વિરોધ પક્ષમાં પણ રોષ જોવા મળી રહ્યાં છે ત્યારે CPIM ના ગૂજરાત આગેવાન બટુકભાઈ મકવાણા એ પણ સરકાર ની બેવડી નીતિ પર આક્ષેપો કર્યા છે સરકાર નું કોરોના ને લઇ કોઈ નિર્ણય શક્તિ જ નથી. જૂનાગઢ માં અનેક નાના વેપારીઓ ની રોજી રોટી શિવરાત્રી ના મેળા અને આવા ધર્મિક પરંપરા ગત રીતે ચલતા તહેવારો ઉપર જ હોય છે ત્યારે સરકાર દ્વારા આવા વેપારી ઓ ને ધ્યાન માં રાખી મેળો પરંપરાગત રીતે યોજાય તેવી માંગ કરવામાં આવી રહી છે