દેવોના દેવ મહાદેવનો દિવસ એટલે મહાશિવરાત્રી. આજે મહાશિવરાત્રી નિમિત્તે જો સમજીને મહાદેવની પુજા કરશો તો તમારી સર્વમનોકામના ભોળિયોનાથ પૂરી કરશે. જાણી લો શું છે શુભ મૂહર્ત અને પૂજાની વિધિ.
આજે મહાશિવરાત્રીનો શુભ દિવસ છે. હિન્દુ પંચાગ અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણપક્ષમાં ચૌદસના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું અનેરૂ મહત્વ રહેલુ છે. આ માટે જો વિધિસર પૂજા કરશો તો ભગવાન શિવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.
મહાશિવરાત્રીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.
ત્યારપથી શિવ મંદિરે અથવા તો ધરે મંદિરમાં જ શિવલિંગ પર જળ ચઢાવવું.
શિવલિંગ પર જળ ચઢાવવા માટે સૌથી પહેલા તાંબાના એક લોટામાં ગંગાજળ લેવું. તેમાં ચોખા અને સફેદ ચંદન ભેળવીને ‘ ઓમ નમ: શિવાય મંત્રનો ઉચ્ચાર કરતા કરતા શિવલિંગ પર જળ ચઢાવવું.
જળ ચઢાવ્યા પછી ઉપર જણાવેલી સામગ્રી એક એક કરીને શિવલિંગ પર ચઢાવવી.
શમીના પાન ચઢાવતી વખતે નીચે મુજબનો મંત્ર બોલવો
अमंगलानां च शमनीं शमनीं दुष्कृतस्य च।
दु:स्वप्रनाशिनीं धन्यां प्रपद्येहं शमीं शुभाम्।।
શમીના પાન ચઢાવ્યા પછી શિવજીને કપૂરથી આરતી ઉતારી પ્રસાદ વહેચવો.
શિવરાત્રીના દિવસે રાત્રી જાગરણ ફળદાયક માનાવામાં આવે છે.
નિશીથ કાળનું પૂજન સર્વશ્રેષ્ઠ
શિવરાત્રીનું પૂજન નિશીથ કાળમાં કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રાત્રીના આઠમાં મુહૂર્તને નિશીથ કાળ કહેવામાં આવે છે. જો કે, ભક્તો રાત્રીના ચારેય પ્રહરોમાંથી કોઈપણ એક પ્રહારમાં સાચી શ્રદ્ધાભાવથી શિવ પૂજા કરી શકે છે. મહાશિવરાત્રીના દિવસે શિવ પુરાણનો પાઠ અને મહામૃત્યુંજય મંત્ર કે શિવના પંચાક્ષર મંત્ર ‘ઓમ નમ: શિવાય’ નો જાપ કરવો જોઈએ.