મહારાષ્ટ્ર ( Maharashtra ) માં અજિત પવાર ( Ajit Pawar ) દ્વારા કોઇપણ જાતની સહમતી વિના સરકાર બનાવવાને કારણે NCP પ્રમુખ શરદ પવાર નારાજ દેખાઇ રહ્યા છે. અજિત પવારની સાથે જ તેમનો ગુસ્સો તેમના બળવાખોર ધારાસભ્યો પર પણ છે. જેમણે બીજેપી સાથે મળીને સરકાર બનાવવા પોતાનું સમર્થન આપ્યું. તથા રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં દેખાયા.
અજિત પવાર દ્વારા કોઇપણ જાતની સહમતી વિના સરકાર બનાવવા પર શરદ પવારની નારાજગી
શરદ પવારે કહ્યું, અમે બળવાખોર ધારાસભ્યો પર એન્ટી ડિફેક્શન લૉ હેઠળ કાર્યવાહી કરીશું
શરદ પવારે (Sharad Pawar) પોતાની નારાજગી શિવસેના સાથે સંયુક્ત પ્રેસ વાર્તામા પણ કરી. તેમણે કહ્યું, અમે બળવાખોર ધારાસભ્યો પર એન્ટી ડિફેક્શન લૉ ( Anti Defection Law ) ના હેઠળ કાર્યવાહી કરીશું અને પેટા ચૂંટણી યોજાવાની સ્થિતિમાં તેમની વિરુદ્ધ શિવસેના-NCP અને કોંગ્રેસ મળીને સંયુક્ત ઉમેદવાર ઉભા કરશે. જેમા તેમની જીત મુશ્કેલ બની જશે.
શરદ પવારે તેમના બળવાખોર ધારાસભ્યોને ચેતવણી આપી છે કે તે 'બળવો' ન કરે અને ઇચ્છે તો પાછા આવી જાય. પરંતુ આમ ન બનવાની સ્થિતિમાં તેમને ભવિષ્યમાં મોટુ રાજનૈતિક નુકશાન ઉઠાવવું પડશે.
શરદ પવારની આ વોર્નિગ બાદ એ જાણવુ જરુરી છે કે આખરે આ એન્ટી ડિફેક્શન લૉ શું છે ?
એન્ટી ડિફેક્શન લૉ ( Anti Defection Law ) નો અર્થ છે કે ભારતમાં પાર્ટી બદલવા વિરોધી કાનૂન. જે હેઠળ રાજનૈતિક લાભ અને પદની લાલચમાં પાર્ટી બદલનાર જન પ્રતિનિધિઓને અયોગ્ય કરાર કરવામાં આવે છે. જે હેઠળ તે સંસદ અથવા વિધાનસભાની સદસ્યતાથી સંબંધિત પાર્ટી દ્વારા અયોગ્ય કરાર કરવામાં આવે છે. સામાન્ય પણે પાર્ટી બદલવા વિરોધી કાનૂનને ઘણીવાર અભિવ્યક્તિની આઝાદીના હનન સાથે પણ જોડીને જેવામાં આવે છે. જોકે, આ કાનૂનને એક સ્વસ્થ લોકતંત્રના નિર્માણમાં ઘણો પ્રભાવશાળી માનવામાં આવે છે.
લોકશાહી પ્રક્રિયામાં રાજનૈતિક પાર્ટી સૌથી મહત્વપૂર્ણ હોય છે અને તે સામૂહિક આધાર પર નિર્ણય લે છે. આઝાદીના કેટલાક વર્ષો બાદ રાજનૈતિક પાર્ટીઓને મળનારા સામૂહિક જનાદેશની અવહેલના થવા લાગી. સાંસદો-ધારાસભ્યોના જોડતોડથી સરકાર તુટી પડવી અને બનવા લાગી. જેથી, 1960 અને 70ના દાયકામાં 'આયારામ-ગયારામ'ની ધારણા ખૂબ જ પ્રચલિત બની ગઇ હતી. ત્યારે એવા કાનૂન બનાવવાની જરૂર પડી કે રાજનૈતિક પાર્ટીઓને મળનારા જનાદેશનું ઉલ્લંઘન કરનારા સદસ્યોને ચૂંટણીમાં ભાગ લેવાથી રોકવા અને અયોગ્ય જાહેર કરવામાં આવે. વર્ષ 1985માં બંધારણ સંશોધનના દ્વારા પાર્ટી-બદલુ વિરોધી કાનૂન લાવવામાં આવ્યું.
ભારતીય બંધારણની 10મી અનુસૂચી જેને બીજા શબ્દોમાં 'પાર્ટી બદલનાર વિરોધી કાનૂન' કહેવામાં આવે છે. તેને વર્ષ 1985માં 52માં બંધારણ સંશોધન દ્વારા લાવવામાં આવ્યું. તેનો ઉદ્દેશ્ય રાજકીય લાભ અને પદના લાલચમાં પાર્ટી વિરોધી ગતિવિધી કરનાર પ્રતિનિધિઓને અયોગ્ય કરાર કરવાનો છે. જેથી સંસદ-વિધાનસભાની સ્થિરતા બની રહે.
આ મામલાઓમાં જન પ્રતિનિધિઓને અયોગ્ય જાહેર કરવામાં આવે છે
જો એક ચૂંટાયેલ સદસ્ય સ્વેચ્છાથી કોઇ રાજનૈતિક પાર્ટીની સદસ્યતા છોડી દે છે.
જો કોઇ અપક્ષ ચૂંટાયેલ સદસ્ય કાનૂન વિરુદ્ધ કોઇ રાજનૈતિક પાર્ટીમાં સામેલ થઇ જાય છે.
જો કોઇ સદસ્ય ગૃહમાં પાર્ટીના પક્ષ વિરુદ્ધ વોટિંગ કરે છે ત્યારે.
જો કોઇ સદસ્ય ખુદને વોટિંગથી અલગ રાખે છે.
જો 6 મહીના પૂર્ણ થયા બાદ કોઇ નામાકિંત સદસ્ય કોઇ રાજનૈતિક પાર્ટીમાં સામેલ થઇ જાય છે.
અહીં સમજો સમીકરણ
વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને બહુમત નથી મળ્યું. 288 બેઠકો વાળી વિધાનસભામાં BJP 105 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે. જ્યારે શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી છે. બાકી અન્યને મળી છે.
બહુમત માટે 145 બેઠકો જરુરી છે. બીજેપી પાસે 105 બેઠકો છે. એટલે કે સરકાર બનાવવા માટે તેને હજુ 40 બેઠકોની જરુર છે. બીજેપી (BJP) નો દાવો છે કે, તેમની સાથે ઘણી નાની પાર્ટી અને અપક્ષ ધારાસભ્ય છે. આમ તેમની પાસે હાલ 120 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે BJPને 25 વધુ બેઠકો મળી જાય તો તેની સરકાર બચી શકે છે.
જો વાત કરવામાં આવે એનસીપી (NCP) ની, તો પાર્ટી પાસે 54 બેઠકો છે. જો પાર્ટીમાં ફુટ પડે છે, જો અજિત પવાર 36 ધારાસભ્યોનું સમર્થન લેવામાં સફળ રહે છે તો પછી બીજેપીની સરકાર બચી જશે. કેમકે પાર્ટી બદલૂ કાનૂન હેઠળ બે તૃતિયાંશ ધારાસભ્યોનું એક સાથે આવવું જરુરી છે અને એ મુજબ સંખ્યા 36 થાય છે. પરંતુ જો અજિત પવારને 36થી ઓછા ધારાસભ્યોને સમર્થન મળે છે તો બીજેપીની સરકાર મુશ્કેલીમાં મુકાઇ જશે. આ ખેલમાં વિધાનસભાના સ્પીકર મહત્વપૂર્ણ બની રહે છે.