મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કોંગ્રેસ આજે સરકાર બનાવવા જઇ રહી છે. મુંબઇના શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સિવાય ત્રણેય પાર્ટીઓના બે-બે નેતા મંત્રી પદના શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહ પહેલા ત્રણેય પાર્ટીઓએ પોતાનો કૉમન મીનિમમ પ્રોગ્રામ (CMP)નું એલાન કર્યું છે.
ઝુપડામાં રહેનાર લોકોને જમીન અપાશે
રૂ.1માં તમામ નાગરિકોને સારવાર
મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવુ માફ કરાશે
શિવસેના, NCP અને કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોમન મિનિમમ પ્રોગ્રામ પર કેટલીક જાહેરાતો કરી છે. આ કાર્યક્રમમાં સરકારના કામકામ વિશે માહિતી આપી છે. જે હેઠળ ત્રણેય દળ ખેડૂત, રોજગાર, સ્વાસ્થ્ય, ઉદ્યોગ, સામાજિક ન્યાય, મહિલાઓ, શિક્ષા, ગ્રામિણ વિકાસ જેવા મુદ્દાઓ પર પ્રાથમિકતાની સાથે કામ કરશે.
એક રૂપિયામાં સારવાર, ખેડૂતોની દેવામાફી
ઉદ્ધવ સરકારે ખેડૂતો માટે નવી પાક વીમા યોજના લાવશે, સાથે જ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાનું કામ કરવામાં આવશે. સરકારના CMPમાં સરકારી વિભાગોના તમામ પદ ભરવામાં આવશે. રાજ્યના તમામ લોકોને એક રૂપિયામાં સારવાર આપવાનો વાયદો પણ સરકારના એજન્ડામાં સામેલ છે. દુષ્કાળ પીડિત ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. સીએમપીમાં સેકુલર શબ્દ પર પણ જોર આપવામાં આવ્યું છે જેને લઇને ઘણી ચર્ચા કરવામાં આવી હતી.
Common Minimum Program of 'Maha Vikas Aghadi' (NCP-Congress-Shiv Sena alliance). pic.twitter.com/2qw2ECwRkU
ઉદ્ધવ સરકારના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર દેશ સૌથી પહેલાના નારે પર આગળ વધશે. સાથે આ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે સમાજના કોઇ પણ ખુણે ભય ન રહે. પ્રોગ્રામ હેઠળ ગરીબોને વગર વ્યાજે શિક્ષણ લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના તમામ સમુદાઓના કલ્યાણની વાત આ પ્રોગ્રામમાં કહેવામાં આવી છે. સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના નિર્દેશનમાં ત્રણેય દળોએ આ કૉમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. એકનાથ શિંદેએ કાર્યક્રમનું એલાન કરતા કહ્યું કે સરકાર તમામ ધર્મોને સાથે લઇને ચાલશે અને રાજ્યને વિકાસના પથ પર લઇ જશે.
કોમન મિનિમમ પ્રોગ્રામમાં શું છે ?
શહેરી વિસ્તારમાં રસ્તાઓ માટે યોજના
ગરીબ બાળકોને મફત શિક્ષણ
ગરીબોને વગર વ્યાજે શૈક્ષણિક લોન
ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓને 500 ચોરસ વર્ગ જમીન
રૂ.1માં તમામ નાગરિકોને સારવાર
દરેક નાગરિકને સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ
કોમન મિનિમમ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને જલ્દી રાહત
સરકારી વિભાગોમાં ખાલી પદ જલ્દી ભરાશે
તમામ નાગરિકોને મળશે સ્વાસ્થ્ય વીમા યોજના
મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવુ માફ કરાશે
મહિલાઓની સુરક્ષા માટે ખાસ યોજના
ખેડૂતો માટે નવી ફસલ યોજના
ધર્મનિરપેક્ષતા પર મૂકાશે ભાર
રાજ્યના લોકોને નોકરીમાં 80 ટકા અનામત આપવાને લઇને કાયદો લાવવામાં આવશે
નૈનાર રિફાઇનરી પ્રોજેક્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મુદ્દે ચર્ચા થશે
નવી કંપનીઓમાં સ્થાનિક લોકોને 80 ટકા અનામત આપવા સંબંધી કાયદો લાવવામાં આવશે
બંધારણને મૂળભાવના પર કામઃ શિંદે
એકનાથ શિંદેએ પ્રોગ્રામનું એલાન કરતા કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ પર સરકાર જોર આપશે અને તેમણે દાવો કર્યો 170 ધારાસભ્ય ગઠબંધન સરકારની સાથે છે. શિંદેએ કહ્યું કે બંધારણના મૂળ તત્વોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે અને તમામ ભાષા-પ્રાંતોને સાથે લઇને આ સરકાર આગળ વધશે. શિંદેએ કહ્યું કે અમે કોઇ પણ પ્રકારના ભેદભાવ જનતાની સાથે નહીં થવા દઇએ.
હિન્દુત્વનો સવાલ ટાળ્યો
હિન્દુત્વની વિચારધારા પર ચાલનારી પાર્ટી શિવસેના હવે સેકુલર શબ્દના નારા સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર ચલાવવા જઇ રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે શિવસેનાને સાવરકર અને હિન્દુત્વના મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો તો એકનાથ શિંદેએ કહ્યું કે જે આ કૉમન મિનિમમ પ્રોગ્રામનો ભાગ નથી તેના વિશે સવાલ ન પૂછવામાં આવે. એવું કહેતા શિવસેના નેતાએ હિન્દુત્વથી જોડાયેલ સવાલ ટાળી દીધું. આ પહેલા સાવર કરને લઇને કોંગ્રેસ અને શિવસેનાનું અલગ સ્ટેન્ડ સાર્વજનિક છે.