મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ચૂંટણીના પરિણામો બાદ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ભારતીય જનતા પાર્ટીએ રાજ્યપાલને કહ્યું છે કે તેઓ સરકાર બનાવવામાં સક્ષમ નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. કોંગ્રેસ અને NCP સાથે શિવસેનાએ વાતચીત શરૂ કરી છે. આજે 4 પાર્ટીઓ 4 મોટી બેઠકો યોજશે. મહારાષ્ટ્ર અને NCPના સ્ટેન્ડ પર મહારાષ્ટ્રનું ભાવિ નક્કી થશે.
મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
આજે શરદ પવારને મળશે શિવસેના નેતા
BJPએ રાજ્યપાલને કહ્યું- નહીં બનાવીએ સરકાર
શિવસેના આજે રાજ્યપાલને કરશે સૂચિત
4 પાર્ટી, 4 મોટી બેઠકો
મહારાષ્ટ્રમાં સરકારના ગઠબંધનને લઈને અનેક પ્રકારની હલચલ જોવા મળી રહી છે. રાજ્યપાલની તરફથી શિવસેનાને સરકાર બનાવવા અંગે પૂછવામાં આવ્યું છે, ત્યારબાદ હવે બેઠકોનો દૌર શરૂ થયો છે. રાજ્યમાં સરકાર ગઠનને લઈને આજનો દિવસ ખાસ હોઈ શકે છે. શિવસેનાના વિધાયકોની બેઠક સિવાય આજે એનસીપી- કોંગ્રેસની પણ કોર કમિટીની બેઠક યોજાઈ રહી છે. અન્ય તરફ ભાજપે પણ એક વાર ફરી બેઠક બોલાવી છે.
કોંગ્રેસ - NCPએ પણ બોલાવી બેઠક
મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાની વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. સોમવારે સવારે 10 વાગ્યે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં મહારાષ્ટ્ર વિશે ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસ સિવાય NCPએ પણ કોર કમિટીની બેઠક બોલાવી છે. જેમાં સરકારના ગઠબંધન પર ચર્ચા થઈ શકે છે.
શું થશે જ્યારે મળશે NCP+કોંગ્રેસ અને શિવસેના?
કોંગ્રેસની 44 બેઠકો
NCPની 54 બેઠકો
શિવસેનાની 56 બેઠકો
કુલ -154 બેઠકો
બહુમતને માટે જરૂરી છે 145 બેઠકો
ભાજપ-શિવસેના ગઠબંધનનો અંત આવવાની તૈયારી શરૂ
ત્રીસ વર્ષ બાદ ગઠબંધનનો અંત આવવા જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા મામલે ચાલી રહેલા વિવાદની વચ્ચે આખરે શિવસેના ભાજપ સાથે ગઠબંધન તોડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ અંગે શિવસેના સત્તાવાર રીત જાહેરાત કરી શકે છે. કારણ કે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અરવિંદ સાવંતે પણ પોતાનું રાજીનામું આપ્યું છે. જેને લઇને મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે તેવા સંકેતો વર્તાઈ રહ્યા છે.
સંજય રાઉતનો વધુ એક વાર
મહારાષ્ટ્રમાં રાજનીતિ વધુ સક્રિય બની છે ત્યારે શિવસેના નેતા સંજય રાઉતે ફરી એક વખત ટ્વિટ કર્યું છે. સંજય રાઉતે લખ્યું છે કે રસ્તાની ચિંતા કરીશ તો મંજિલને ખોટું લાગી જશે. આ ટ્વિટથી તેમનો ઈશારો છે કે શિવસેનાનું જે લક્ષ્ય છે તે મુખ્યમંત્રી પદ છે. અને તે માટે તેઓ નવા રસ્તાને અપનાવવા માટે પણ તૈયાર છે.
रास्ते की परवाह करूँगा तो मंजिल बुरा मान जाएगी………!
એક તરફ રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ અને શિવસેના વચ્ચે અસમંજસની સ્થિતિ ચાલી રહી છે ત્યારે સોમવારે શિવસેનાના ક્વોટાથી કાર્યભાર સંભાળનાર અરવિંદ સાવંતે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે હું મારા મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
Union Minister of Heavy Industries and Public Enterprises & Shiv Sena MP Arvind Sawant: I am resigning from my ministerial post. pic.twitter.com/6UVYpXK6Sa
કોંગ્રેસ અને NCPના સ્ટેન્ડ પર મહારાષ્ટ્રના ભાવીનું નિર્ધાર થશે. શિવસેનાના સાંજે 7.30 કલાકે રાજ્યપાલને મળવા જશે. તેમજ શિવસેનાના નેતા સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી શકે છે. ઉદ્વવ ઠાકરે NCP લીડર શરદ પવારને મળવા જશે. સરકાર બનાવવા આમંત્રણ મળતા શરદ પવાર સાથે ચર્ચા કરી હતી. NCPએ શિવસેના સાથે શરત રાખી છે કે સરકાર બનાવવા માટે શિવસેના NDAથી દૂર થાય.