શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનવાળી મહારાષ્ટ્ર સરકારે પોતાના રાજ્યના લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે.
મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત
રાજ્યની જનતાને આપી મોટી રાહત
સીએનજીના વૈટ ઘટાડવાની કરી જાહેરાત
શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનવાળી મહારાષ્ટ્ર સરકારે પોતાના રાજ્યના લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારે સીએનજી પર વૈટ દરોમાં ભારે કાપ મુકવાનો નિર્ણય કર્યો છે.
अर्थसंकल्पात घोषणा केल्याप्रमाणे सीएनजी इंधनावरील मुल्यवर्धीत कराचा (व्हॅट) दर १३.५ टक्क्यांवरुन ३ टक्के इतका कमी केल्याची अधिसूचना जारी करण्यात आली आहे.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારે શનિવારે રાજ્યમાં કંપ્રેસ નેચુરલ ગેસ (CNG) પર વેલ્યુ એડેડ ટેક્સના દરો ઘટાડવાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેથી એક એપ્રિલથી રાજ્યમાં સીએનજી પર 13.5 ટકાની જગ્યાએ ફક્ત 3 ટકા જ આપવા પડશે. સીએનજીના નવા દર 1 એપ્રિલથી લાગૂ થઈ જશે અને ગ્રાહકોને સીએનજી માટે ઓછા રૂપિયા આપવા પડશે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આજૂબાજૂની વિસ્તારમાં મહાનગર ગેસ એજન્સી ગેસની સપ્લાઈ કરે છે. મુંબઈમાં હાલ સીએનજીના રેટ 66 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, જ્યારે પીએનજીનો રેટ 39.50 રૂપિયા પ્રતિ માનક ધન મીટર છે.
બજેટમાં કરી હતી જાહેરાત
મહારાષ્ટ્રના નાણામંત્રી અજીત પવારે આ મહિનાની શરૂઆતમાં બજેટ સત્ર દરમિયાન આ વૈટ ઘટાડ઼વાની જાહેરાત કરી હતી. હવે સરકારે તેના માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. સરકારના આ પગલાથી રાજકોષમાં વાર્ષિક 800 કરોડ રૂપિયાની ખોટ જશે. પવારે શનિવારે મરાઠીમાં એક ટ્વિટ કરીને તેનું નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી હતી.
સીએનજી સસ્તો થતાં આ લોકોને થશે ફાયદો
પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સીએનજીના ભાવ પહેલાથી ઓછા છે. તો વળી ગાડીઓમાં વધારે માઈલેજ પણ આપે છે. ત્યારે આવા સમયે તેના ભાવ ઓછા થવાની કાર ચાલકોની સાથે સાથે ઓટો રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો અને કૈબ ચલાવનારાઓને પણ ફાયદો થવાનો છે.
આ ગેસને પાઈપ્ડ નેચુરલ ગેસ તરીકે ઘરોમાં રસોઈ ગેસ તરીકે પણ સપ્લાઈ કરવામા આવે છે, તેથી આવા સમયે ગૃહિણીઓનો બોઝ પણ ઓછો થશે.